અમદાવાદમાં મેયરને શેનો ડર છે તે સમજાતુ નથી. કેમ કે, ઓનલાઈન મનપાની સભામાં પણ સુરક્ષા માટે બાઉન્સર તૈનાત કરવામાં આવતા ચર્ચાએ જોર પકડ્યુ છે કે, અમદાવાદના મેયર પ્રજાના પ્રશ્નોથી ડરીને ભાગી રહ્યા છે.
અમદાવાદમાં ત્રણ મહિના બાદ મેયરની સભા યોજાઈ
અમદાવાદીઓના ડરના કારણે મેયરની સિક્યુરિટી વધારાઈ
વર્ચ્યુઅલ સભા હોવા છતા બાઉન્સર ગોઠવાયા
અમદાવાદના મેયરને પ્રજાના પ્રશ્નોથી ડર લાગે છે એવી ચર્ચા ઉઠી રહી છે. ઉસ્માનપુર ખાતે વર્ચ્યુલ સભા છતાં પણ બાઉન્સર ગોઠવાયા છે. AMCની સામાન્ય સભા ત્રણ મહિના બાદ યોજાઈ છે. 3 મહીના બાદ ઉસ્માનપુરામાં ઓનલાઈન સામાન્ય સભા યોજવામાં આવી છે.
આ સભા પહેલા ટાગોર હોસ ખાતે મળવાની હતી પરંતુ 50થી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ હોવાને કારણે હવે આ સભા ઓનલાઈન યોજવામાં આવી રહી છે ત્યારે વિવધ પ્રશ્નો અને મુદ્દાઓને લઈને સમભામાં ચર્ચા કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પડી રહેલી મુશ્કેલીઓને લઈને પણ સભામાં ચર્ચા વિચારણા થશેય
ઉઠી રહ્યા છે પ્રશ્નો
એક પણ કોર્પોરેટર હાજર ન હોવા છતાં સિક્યુરિટી સ્ટાફ શા માટે ?
શુ મેયરને પ્રજાના પ્રશ્નોની નથી કોઇ પરવાહ ?
શા માટે મેયર સામે નથી આવી રહ્યા લોકોના પ્રશ્નોનો જવાબ આપવા ?