મહેસાણામાં પણ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કિરીટ પટેલના વિવાદીત નિવેદનને લઈને માલધારી સમાજે નાગલપુર વિસ્તારમાં તેના પૂતળાનું દહન કરી વિરોધ વ્યકત કર્યો હતો.
અને જ્યાં સુધી કિરીટ પટેલ માલધારી સમાજની માફી ન માગે ત્યાં સુધી વિરોધ અને આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે માલધારી સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી જેના પગલે આજે માલધારી સમાજના સભ્યો દ્વારા આ ધારાસભ્યનું પુતળા દહન કરીને મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો.
અને માલધારી સમાજ દ્વારા આ ધારાસભ્યને આવી હરકત બાબતે જો માફી નહી માગે તો માટાપાયે આંદોલન કરવાની પણ ચિમકી આપવામાં આવી હતી.
મહેસાણામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો વિરોધ
માલધારી સમાજ દ્વારા કિરીટ પટેલના પૂતળાનું કરાયું દહન