ગુજરાતના કેવડિયામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને દેશના વિવિધ રાજ્યો સાથે જોડવા માટે આજે 8 જુદી જુદી ટ્રેનો શરૂ કરવામાં આવી છે જેમાં ટૂરિઝમ વધારવા માટે અમદાવાદથી ખાસ જનશતાબ્દી એક્સપ્રેસ પણ શરૂ કરવામાં આવી છે.
PM મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 8 ટ્રેનને આપી લીલીઝંડી
પ્રધાનમંત્રીએ ઐતિહાસિક દિવસ ગણાવ્યો
અમદાવાદથી કેવડીયા સુધી દોડશે જનશતાબ્દી, શાનદાર છે સુવિધાઓ
દેશના ઈતિહાસમાં ગુજરાત બન્યું આ ઘટનાનું પ્રથમ સાક્ષી : PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની કેવડિયા માટે આઠ ટ્રેનને રવાના કરી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" વાળા કેવડિયા હવે રેલ કનેક્ટિવિટી સાથે જોડાયેલા છે. દેશના વિવિધ ભાગોથી મૂર્તિ જોવા માટે લોકોની અવરજવર થાય તે હેતુથી આ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનો ગુજરાતના કેવડિયાને અન્ય રાજ્યોના મોટા શહેરો સાથે જોડશે. જે શહેરોમાંથી રેલ્વે જોડાણ શરૂ કરવામાં આવ્યું છે તેમાં વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), રેવા, ચેન્નાઈ અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે.
શાનદાર કોચ સાથે દોડશે ટ્રેન
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાથે અન્ય શહેરોની કનેક્ટિવિટી વધારવા માટે ભારત સરકારે મોટી યોજના શરૂ કરી છે ત્યારે અમદાવાદથી કેવડીયા વચ્ચે જે જનશતાબ્દી એક્સપ્રેસના કોચ ખૂબ જ શાનદાર છે.
ટ્રેનમાંથી જોઈ શકાશે સુંદર નજારો
આ ટ્રેનમાં વિસ્ટાડોમ પર્યટન કોચની સુવિધા ઉપલબ્ધ છે જેની છત અને બારી કાચની બનાવવામાં આવી છે. કોચની છત અને બારીઓમાં કાચ લાગ્યા હોવાના કારણે પ્રવાસીઓને યાત્રા દરમિયાન બહારનો નજારો ખૂબ સારો જોવા મળશે.
ટ્રેનમાં મળશે શાનદાર સુવિધાઓ
આ ટ્રેન ગુજરાતના કેવડિયા સ્થિત સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી જનાર યાત્રિકોને સુવિધા પ્રદાન કરશે. વિશેષ રૂપથી ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ટ્રેનમાં મુસાફરોને લગઝરી સુવિધા આપવામાં આવશે.
અમદાવાદથી કેવડિયા સુધી દોડનાર જનશતાબ્દી એક્સપ્રેસની તસવીરો પીએમ મોદીએ પણ શેર કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે વિસ્ટાડોમ પર્યટન કોચની સુવિધા ઉપલ્બધ છે.
ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ સ્ટેશન
प्रधानमंत्री @NarendraModi जी ने केवड़िया, गुजरात स्थित Statue of Unity को देश के विभिन्न क्षेत्रों से जोड़ने वाली रेल परियोजनाओं का शुभारंभ किया।
પીએમ મોદીએ આજે સાથે સાથે કેવડીયામાં નવા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું જેમાં સ્થાનિક વિશેષતાઓ અને આધુનિક સુવિધાઓ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ રેલ્વે પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે રેલવે પ્રધાન પિયુષ ગોયલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ સંબંધિત રાજ્યોના મુખ્ય પ્રધાન વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા. પીએમએ કહ્યું કે કેવડિયા દેશનું પહેલું ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ સ્ટેશન બન્યું છે.
Now, more reason to visit the ‘Statue of Unity!’ This iconic Statue, a tribute to the great Sardar Patel is connected via railways to different regions of India.