કોન્ડોમ, ડ્રગ્સ અને કાલાજાદૂના બદનામ બાદશાહ નિત્યાનંદના રવાડે ચડેલી DPS સ્કૂલમાં એક પછી એક ગોટાળા સામે આવી રહ્યા છે. ત્યારે DPS સ્કુલની એક નવી ગોલમાલ સામે આવી છે. ફેક NOC દ્વારા સ્કુલ ચાલતી હોવાની શંકાને પગલે શિક્ષણ વિભાગ દ્વારા CBSE આ NOC મંગાવશે અને તેની ચકાસણી કરશે. જો આ NOCમાં કંઈ ઘાલમેલ હશે તો શિક્ષણ વિભાગ દ્વારા DPS સ્કુલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ DPS સ્કૂલ સામે ફરિયાદ દાખલ કરશે
CBSEમાં રજૂ કરેલી NOC શિક્ષણ વિભાગે મંગાવી
NOCની કોપી FSLમાં તપાસ માટે મોકલાશે
હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમના વિવાદના સાથે જોડાયેલી DPS ( Delhi Public School )સ્કૂલમાં શિક્ષણ વિભાગે તપાસ કરી હતી. જેમાં શિક્ષણ સચિવે CBSE ( Central Board of Secondary Education )ને રિપોર્ટ કર્યો છે કે, સ્કૂલે ફેક NOC ( no-objection certificate ) ઉભું રજૂ કર્યુ છે. જેને કારણે હિરાપુર DPS સ્કૂલની માન્યતા પણ રદ થાય તેવી શક્યતા છે. હાલ તો NOC સહિતના દસ્તાવેજોને ચકાસણી માટે FSL ( forensic science laboratory ) મોકલી આપવામાં આવશે.
શું કહેવું છે વાલીઓનું ?
જો DPS સ્કૂલની માન્યતા રદ થાય તો વિદ્યાર્થીઓનાં ભવિષ્યનું શું? DPS સ્કૂલનો રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ બચાવ કરી રહી છે. DPSની માન્યતા જો રદ કરવામાં આવે તો રાજ્ય સરકાર સ્કૂલને પોતાની હસ્તક લઇ સ્કૂલ ચલાવી શકે છે.
1 રૂા ભાડામાં 5 વર્ષ નિત્યાનંદને ભાડે આપી જગ્યા
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં DPS સ્કૂલની અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા તપાસ કરવામાં આવી હતી. CBSE બોર્ડ દ્વારા પણ રાજ્યના શિક્ષણ વિભાગને પત્ર લખી સમગ્ર ઘટનાની તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. આ રિપોર્ટમાં સ્કૂલ દ્વારા પાંચ વર્ષ માટે રૂ. 1ના વાર્ષિક ભાડે જગ્યા આશ્રમને આપી હોવાનું બહાર આવ્યું હતું.
નોન એગ્રીકલ્ચર જમીન પર બની છે સ્કુલ
સ્કૂલના NOC બાબતે શિક્ષણ વિભાગે પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. 2009માં કેલોરેક્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી દ્વારા DPS ઈસ્ટની NOCની ફાઈલ શિક્ષણ વિભાગને મોકલવામાં આવી હતી. જમીન અને મકાનના પુરાવા, બીયુ પરમિશન, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ વગેરે માગવામાં આવ્યા હતા. જેની માહિતી 2012માં શિક્ષણ વિભાગને મોકલવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલની NOCની અરજી નામંજૂર કરવામાં આવી હતી અને કારણ દર્શાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા જમીન નોન એગ્રિકલ્ચર ઉપયોગ માટે લેવા માટેની કાર્યવાહી કરાઈ નથી.
ફેક NOC નીકળશે તો DPSની ખેર નથી
રાજ્યના શિક્ષણ વિભાગે આવી કોઈ NOC ઈશ્યુ કરી નથી. જેથી આ ફોજદારી ગુનાનો કેસ છે. ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે તેવું જણાવી CBSE બોર્ડમાં રજૂ કરેલા ડોક્યુમેન્ટની કોપી પણ વિભાગે માંગી છે. 7 દિવસમાં જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.