બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન સામે આવ્યો છે. અહીં કોરોનાનું 70 ટકા વધુ ઘાતક રૂપ સામે આવ્યું છે. તેને લઈને બ્રિટને આકરુ લોકડાઉન લગાવી દીધું છે ત્યારે લોકો બ્રિટનથી બહાર નીકળી રહ્યા છે. તેવામાં હવે બ્રિટનથી દિલ્હી અને કોલકાતા બાદ હવે અમદાવાદ આવનારા 5 મુસાફર કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં એક બ્રિટિશ નાગરિક પણ સામેલ છે.
UKમાં કોરોનાના નવા સ્ટેનને લઈ અમદાવાદમાં ફફડાટી
UKથી અમદાવાદ આવેલા મુસાફરો કોરોનાગ્રસ્ત
એરપોર્ટ પર ટેસ્ટ દરમિયાન 5 મુસાફરો કોરોના પોઝિટિવ
બ્રિટનમાં કોરોનાનો શરૂ થયેલો નવો સ્ટ્રેઇન માત્ર બ્રિટન સુધી સિમિત નથી રહ્યો. બ્રિટન સહિત ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈટલીમાં નવા સ્ટ્રેનનો ફેલાવો થયો છે. ત્યારે બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઈ અમદાવાદમાં ફફડાટ જોવા મળ્યો છે. કેમ કે આજે બ્રિટનથી અમદાવાદ આવેલા મુસાફરોમાંથી 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બ્રિટનથી 271 મુસાફરોના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 5 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે હજુ કોરોનાના નવા સ્ટ્રેઇન છે કે નહીં તે અંગે પુષ્ટી નથી થઇ. પણ ચિંતાનો વિષય એ છે કે 5 પોઝિટિવ લોકોમાં 1 વ્યક્તિ બ્રિટનના છે.
આજે બ્રિટનથી ભારત પરત ફરેલા મુસાફરોમાં 7 કોરોના પોઝિટિવ આવ્યા હતા
આ અગાઉ બ્રિટનથી દિલ્હીની ફ્લાઈટમાં આવેલા 5 મુસાફર પણ પોઝિટિવ આવ્યા હતા. આ 5 પોઝિટિવ મુસાફરોના સેમ્પલ તપાસ માટે NCDC મોકલાયા છે. UKથી કોલકાતા આવેલા 2 મુસાફરના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. UKમાં ફેલાયેલા કોરોનાના નવા પ્રકાર અંગે હજુ ખુલાસો થયો નથી. રિપોર્ટની તપાસ બાદ નવા પ્રકાર અંગે ખુલાસો થઇ શકશે.
નવા કોરોનાનો ભારતમાં એકપણ કેસ નહીંઃ ડો.પોલે
દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. ડો.પોલે જણાવ્યું હતું કે, નવો કોરોનાનો સ્ટ્રેઇન જે UKમાં ફેલાયો છે તેનો ભારતમાં એકપણ કેસ નહીં. મહત્વનું છે કે, ઘાતક કોરોના સ્ટ્રેન UKમાં ફેલાયો છે. જેથી UKથી 24 કલાકમાં ઘણા લોકો સ્વદેશ ફર્યા છે.
કોરોનાના નવા સ્ટ્રેઈનને લઈને સરકાર સજાગઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી
કોરોનામાં નવા સ્ટ્રેઈન જોવા મળતા વિશ્વના તમામ દેશોની સાથે સાથે ભારત પણ હરકતમાં આવી ગયું છે. કોરોનામાં નવા સ્ટ્રેઈન જોવા મળતા લોકો ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે ત્યારે તેને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનનું આ અંગે સૂચક નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે કોરોનાના નવા સ્ટ્રેઈનને લઈને સરકાર સજાગ છે. લોકોએ ગભરાવવાની જરૂર નથી.