સોમવારે બજેટ રજૂ કર્યા બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારામણે એવું જણાવ્યું કે ખેડૂત આંદોલનનો ઉકેલ વાતચીત દ્વારા જ આવી શકે છે.
સરકારે વાતચીતનો માર્ગ મોકળો કરી રાખ્યો છે
બધા પાક પર ઉત્પાદન ખર્ચથી 1.5 ગણી વધુ MSP આપવામાં આવી રહી છે.
કૃષિ ઉત્પાદનોના નિકાસમાં સરકાર 22 વધુ ઉત્પાદનોનો સમાવેશ કરશે.
સોમવારે બજેટ રજૂ કર્યા બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારામણે એવું જણાવ્યું કે ખેડૂત આંદોલનનો ઉકેલ વાતચીત દ્વારા જ આવી શકે છે. સરકારે વાતચીતનો માર્ગ મોકળો કરી રાખ્યો છે. કૃષિ મંત્રી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર થઈને બેઠા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે બધા પાક પર ઉત્પાદન ખર્ચથી 1.5 ગણી વધુ MSP આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, 'અમે ખેડૂતોને 75 હજાર કરોડ વધુ આપ્યા છે. ખેડૂતોની ચૂકવણી પણ ઝડપી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ઘઉં માટે ખેડૂતોને 75,060 અને કઠોળ માટે 10,503 કરોડ ચૂકવવામાં આવ્યા છે. ડાંગરની ચુકવણીની રકમ 1,72,752 કરોડ હોવાનો અંદાજ છે. આ ઉપરાંત, કૃષિ ઉત્પાદનોના નિકાસમાં સરકાર 22 વધુ ઉત્પાદનોનો સમાવેશ કરશે.
તેમણે કહ્યું કે બોર્ડર પર ખેડૂત છે આપણા બધા સમજી રહ્યાં છીએ. કૃષિ મંત્રી વાતચીત કરવા તૈયાર છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામણે વર્ષ 2021-22 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરતાં કૃષિ ક્ષેત્ર માટે કૃષિ ધિરાણ લક્ષ્યાંકમાં વધારાની માહિતી આપી હતી.
નાણાં પ્રધાને એમ પણ કહ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોની સુખાકારી માટે કામ કરવા પ્રતિબદ્ધ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે 2021-22માં ખેડૂતોને વધુ કૃષિ ધિરાણ આપવાનું લક્ષ્ય છે. આ લક્ષ્યાંક ગત વખતે 15 લાખ કરોડ રૂપિયાની તુલનામાં 16.5 લાખ કરોડ રૂપિયા જેટલ કરવામાં આવ્યું છે.