રાજકોટઃ ઉનાળાના પ્રારંભે જ ગુજરાતમાં ઠેરઠેર પાણીની તંગી સર્જાઈ છે. ત્યારે રાજકોટમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ જળ સંચય યોજના મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. ફળદુએ કહ્યું કે રાજકોટ જિલ્લામાં તળાવો ઉંડા કરવાનું કામ હાથ ધરવામાં આવશે. 11 તાલુકાના 186 ગામડાઓમાં કામ હાથ ધરાશે. અને આ તળાવો ઉંડા કરવા 130 JCBનો ઉપયોગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પર જળ સંકટના અણસાર દેખાઇ રહ્યા છે. ત્યારે ગુજરાત સ્થાપના દિવસે એક જળ સંગ્રહ અને જળ બચાવોના સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા 'જળ અભિયાન' કાર્યક્રમ કરવામાં આવશે. સીએમ રૂપાણી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે. અને સમગ્ર રાજ્યમાં અલગ-અલગ સ્થળો પર ધારાસભ્યો સાંસદો અને નેતાઓ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.
જો કે આ અભિયાન પણ પાણીને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેવામાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ પણ જળ સંચયને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે રાજકોટ જિલ્લામાં તળાવો ઉંડા કરવામાં આવશે તેમ કહ્યું છે.