કૃષિ મંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું છે કે, એક દેશ એક બજારના PM મોદીના નિર્ણયથી ડઘાઈ ગયેલી કોંગ્રેસ આજે રસ્તા પર ઉતરીને ખેડૂતોના નામે રાજનીતિ કરી રહી છે તે અત્યંત નિંદનીય છે.
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ APMC મામલે કર્યું નિવેદન
APMC ના બંધ થવાની વાતને સંપૂર્ણ પણે નકારી
તેમણે કહ્યું, ખેડૂતો ની આવક ડબલ કરવાનું ભાજપનું લક્ષ્ય
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો ના ખભે બંધૂક મૂકીને હર હંમેશ રાજનીતિ કરવા ટેવાયેલી કોગ્રેસને રાજયના ખેડૂતો ઓળખી ગયા છે તેમની આ મેલી મુરાદથી ખેડૂતો ભરમાવવાના નથી એવો અમને દ્રઢ વિશ્વાસ છે. ખેડૂતો નું હિત રાજ્ય સરકાર સમજે છે અને તેથી કોંગ્રેસ ની હરકતોથી ખેડૂતો ભરમાશે નહી એ ગુજરાત કોંગ્રેસે અને એમના નેતાઓએ સમજી જવાની જરૂર છે.
APMC બંધ નથી થવાની : કૃષિ મંત્રી
કૃષિ મંત્રી ફળદુ એ ઉમેર્યું કે, ખેડૂતો ના હિતને વરેલી કેન્દ્રની ભાજપ સરકારે વર્ષ ર૦રરમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે તે ચોક્કસ પરિપૂર્ણ થશે એવો મને દૃઢ વિશ્વાસ છે. એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશના કોઇપણ APMC માંથી ખરીદી કે વેચી શકશે. APMC બંધ થશે એ વાત તદ્દન ખોટી છે. APMC ચાલુ જ રહેશે.
પરંતુ વિકસીત સમયમાં જે ખેડૂતો ને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે એ કરીને તેનો માલ સીધો દેશના અન્ય રાજયોમાં વેચી શકશે. જેના પરિણામે ખેડૂતો નું ટ્રાન્સપોર્ટેશન ઘટશે અને વધુ ભાવો મળશે. ખેડૂતો ને હાલ જે સુવિધાઓ મળે છે એ ચાલુ જ રહેશે. ઇ-પ્લેટફોર્મના માધ્યમ દ્વારા દેશભરમાં રાજ્યના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે.
ખેડૂતોને સુવિધાઓ મળતી ચાલુ જ રહેશે
તેમણે કહ્યું હતું કે ખેડૂતો ને જે હાલ સુવિધાઓ મળે છે એ પૂરેપૂરી મળવાની જ છે એટલે ખેડૂતો એ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.ખેડૂતોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળે એ માટે વડાપ્રધાન એ દ્વાર ખોલી દીધા છે. આજના ટેકનોલોજીના યુગમાં યુવા ખેડૂતો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ખેતી કરી શકશે જેનાથી ઉત્પાદન વધશે જેના પરિણામે મોટી કંપનીઓ સીધા ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે અને ગુણવત્તાલક્ષી પાક ઉત્પાદન પણ મળશે.
સાથે સાથે વેલ્યુ એડિશન કરીને ફાર્મર પ્રોડ્યુશર ઓર્ગેનાઈઝેશન (FPO) પણ સ્થાપાશે. આજે ટેકનોલોજી નહીં લાવીએ તો ગ્લોબલાઇઝેશનમાં ટકી શકીશું નહીં. પ્રધાનમંત્રીએ દેશમાં પ્રોસેસિંગના દરવાજા ખોલી દીધા છે દેશમાં ૧૦ હજાર ફાર્મર પ્રોડ્યુશર ઓર્ગેનાઈઝેશન (FPO) રચવાનો પણ નિર્ણય કરાયો છે. જે કમિટીઓ પાક ઉત્પાદન ભેગું કરીને વેચાણ કરશે એટલે ખર્ચા ઘટશે અને ખેડૂતો ની આવક વધશે.
ખેડૂતો ને મળશે ઊંચા ભાવ : કૃષિ મંત્રી
આ નવા કાયદાથી ટેકાના ભાવે ખરીદી બંધ થશે એવો અપપ્રચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનુ ખંડન કરતા કૃષિ મંત્રી ફળદુ એ કહ્યુ કે આ વાત તદ્દન ખોટી છે. ટેકાના ભાવે ખરીદી તો ચાલુ જ રહેશે પરંતુ જે ખેડૂતો ને ટેકનોલોજીના માધ્યમથી માલ ખરીદ કે વેચાણ કરવો હશે એ કરી શકશે જેના પરિણામે ખેડૂતોને ઊંચા ભાવ મળવાના જ છે.
UPA સરકારમાં જે ટેકાના ભાવે ખરીદી થતી હતી તે ભાવોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઉત્તરોત્તર વધારો કર્યો છે અને ખરીદી પણ વધુ પ્રમાણમાં કરી છે. ટેકાના ભાવે ખરીદીમાંથી ચારેક પ્રોડક્ટ બહાર લાવવામાં આવી છે એટલી આવી અફવાઓ ફેલાવવાનુ પણ કોંગ્રેસે બંધ કરવુ જોઈએ
કોંગ્રેસ ખેડૂતોનો વોટબેકંની જેમ ઉપયોગ ન કરે : ફળદુ
મંત્રીએ ઉમેર્યું કે અમે કોંગ્રેસ ની જેમ ખેડૂતો જોડે રાજકારણ કરીએ તેવા નથી, અમે ખેડૂતોને સાચી દિશા બતાવવા માંગીએ છીએ. ખેડૂતો નો વોટબેંકની જેમ ઉપયોગ ન કરો. તેમના હીતની વાત હોય ત્યારે તેમની પડખે ઊભા રહો. આવનાર સમયમા આ કાયદો ખરેખર ઐતિહાસિક પુરવાર સાબિત થશે અને ખેડૂતો ની આવક બમણી કરવાના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં પણ મહત્વપૂર્ણ પૂરવાર થશે.