દિલ્હીમાં સુલતાનપુરીનાં કંઝાવાલા કેસની મુખ્ય સાક્ષી નિધિને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. જીઆરપીનાં રેકોર્ડ અનુસાર નિધિની 2020માં ડ્રગ્સ મામલે આગ્રા સ્ટેશન પર ધરપકડ થઈ હતી.
કંઝાવાલા કેસની સાક્ષી નિધિને લઈને ખુલાસો
2020માં ડ્રગ્સ મામલે જેલમાં હતી નિધિ
તપાસમાં 10-10 કિલો મળ્યો ગાંજો
દિલ્હીનાં કંઝાવાલા કેસની મુખ્ય સાક્ષી નિધિને લઈને મોટી વાત સામે આવી છે. યૂપીનાં આગ્રામાં JRPએ 2 વર્ષ પહેલાં એટલે કે 2020માં નિધિને ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરેલ હતી. તેના સાખે અન્ય 2 છોકરાઓ પણ પકડાયા હતાં. નિધિ એક મહિના સુધી જેલમાં રહી ચૂકી છે. પછી તેની જામીન કરાઈ છે. તેને જિલ્લા અને સત્ર ન્યાયાલયના અપર જિલ્લા જજની કોર્ટથી જામીન મળી હતી.
દિલ્હીથી તેલંગાણાનાં સિકંદરાબાદ ગઈ...
પોલીસ રેકોર્ડ અનુસાર નિધિ ડ્રગ્સની દાણચોરી માટે દિલ્હીથી તેલંગાણાનાં સિકંદરાબાદ ગઈ હતી. ત્યાંથી તે પોતાના 2 સાથી સમીર અને રવિની સાથે ટ્રેનથી આગ્રા આવી. 6 ડિસેમ્બર 2020નાં આ સમગ્ર ઘટના બની છે. નિધિ આગ્રા કેંટ સ્ટેશન પર સમીર અને રવિની સાથે પ્લેટફોર્મ નંબર 2/3 પર ટ્રેનથી ઊતરી હતી. સવારે 10.55 વાગ્યે આરપીએફ અને આગ્રા કેન્ટ GRPની ટીમ સ્ટેશન પર ચેકિંગ કરી રહી હતી. જેમાં ટીમની નજર આ ત્રણ વ્યક્તિ પર પડતાં ત્રણેય ભાગવા લાગ્યા જેના કારણે પોલીસને શંકા ગઇ અને તેમને પકડી પાડ્યાં.
UP | In Dec 2020, 3 people were arrested during an operation against Ganja smugglers & 30 kg ganja was recovered. One of the accused was a person named Nidhi,a resident of Sultanpuri (Delhi). Not confirmed yet if this is the same person related to the Kanjhawala case:SP GRP, Agra pic.twitter.com/CNae3ducNp
તપાસમાં 10-10 કિલો મળ્યો ગાંજો
પોલીસની કસ્ટડીમાં આવ્યાં બાદ ત્રણેયે જણાવ્યું કે તે તેલંગાણાથી ટ્રેન મારફતે ગાંજો લઈને આગ્રા આવ્યાં હતાં. અહીંથી તેઓ રોડથી ગાંજો લઈને દિલ્હી જવાનાં હતાં. નિધિએ એ પણ જણાવ્યું કે દિલ્હીમાં રહેનાર દીપકનાં કહેવા પર ગાંજાની હેરફેરી કરી હતી. જ્યારે રવિ અને સમીર પોતે જ ગાંજો વેંચવાની વાત કરી રહ્યાં હતાં. ત્રણેયને કોર્ટે જેલની સજા ફટકારી હતી.
15 ડિસેમ્બર 2020નાં મળી જામીન
અપર જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશ-13ની કોર્ટમાં 15 ડિસેમ્બર 2020નાં નિધિની જામીન મંજૂર કરવામાં આવી હતી. જેના બાદ 8 જાન્યુઆરી 2021નાં નિધિ જેલથી બહાર નિકળી. ત્યારથી નિધિ વ્યક્તિગત ધોરણે કોર્ટની સામે હાજર નથી થઈ. જીઆરપીએ નિધિ સહિત 3 લોકોની સામે NDPS એક્ટ કલમ 8 અને 20 અંતર્ગત કેસ નોંધ્યો હતો.