Indian Airforceએ બહાર કરેલ નોટિફિકેશન અનુસાર અગ્નિવીર વાયુ ભરતી 2023 માટેની આવેદન પ્રક્રિયા 23 નવેમ્બર 2022 સુધી ચાલુ રહેશે. અપ્લાય કરવા માટે agnipathvayu.cdac.in પર ક્લિક કરવું.
અગ્નિવીર વાયુ ભરતી 2023 માટેની નોટિફિકેશ જારી
7 નવેમ્બર 2022 સાંજે 5 વાગ્યાથી શરૂ થશે પ્રક્રિયા
છેલ્લી તારીખ 23 નવેમ્બર 2022 રહેશે
ઇન્ડિયન આર્મીની વાયુ સેનામાં અગ્નિવીર વાયુ ભરતી 2023 માટેની નોટિફિકેશ બહાર આવી છે. આ વર્ષે અગ્નિવીર વાયુ માટે એપલિકેશન પ્રક્રિયા ઓનલાઇન થઇ છે. જે ઉમેદવારે આ માટે આવેદન કરવું હોય તેણે અગ્નિવીરની ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર ઓનલાઇન અપ્લાય કરવાનું રહેશે.
છેલ્લી તારીખ 23 નવેમ્બર 2022
ભારતીય વાયુસેના તરફથી જારી કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર, અગ્નિવીર વાયુ 2023 માટેની એપલિકેશન પ્રક્રિયા 7 નવેમ્બર 2022 સાંજે 5 વાગ્યાથી શરૂ થશે જે 23 નવેમ્બર 2022 સુધી ચાલુ રહેશે. આ વેકેન્સી માટેની પરીક્ષાનું આયોજન 18 જાન્યુઆરી 2023થી 24 જાન્યુઆરી 2023 સુધી રહેશે.
વેબસાઇટનાં હોમ પેજ પર latest updates પર ક્લિક કરો.
ત્યારબાદ Indian Airforce Agniveers Vayu Star Intake 1/2023 Recruitment 2022 apply online પર ક્લિક કરો.
હવે Candidates Login નો ઓપ્શન સિલેક્ટ કરો.
જેમાં તમારી માહિતી ઉમેરી રજિસ્ટ્રેશન કરો.
રજિશસ્ટ્રેશન બાદ એપ્લિકેશન ફોર્મ ભરો.
યોગ્યતા, ઉંમર અને ફી
અહીં એપ્લિકેશન કરવા માટે ઉમેદવારની ઉંમર 17.5 વર્ષથી વધુ અને 21 વર્ષથી ઓછી હોવી જોઇએ. ઉમેદવારોની ઉંમરની ગણતરી જાન્યુઆરી 2023નાં આધારે કરવામાં આવશે. Agniveer Vayu Vacancyમાં આવેદન કરનારા ઉમેદવારોની કોઇપણ માન્ય બોર્ડથી 12 ધોરણ પાસ હોવું જરૂરી છે. 12માં ધોરણમાં ફિઝિક્સ, મેથ્સ અને અંગ્રેજૂ વિષય હોવા અનિવાર્ય છે. 12માં ધોરણનું રિઝલ્ટ 50%થી વધુ હોવું જોઇએ.
આવેદન કરવા માટે જનરલ, ઓબીસી અને EWS વર્ગનાં ઉમેદવારોની એપલિકેશન ફી 250 રૂપિયા છે. જ્યારે એસસી અને એસટી માટે પણ 250 રૂપિયા જ ફી રહેશે. ફી જમા કર્યા બાદ જ એપલિકેશનની પ્રક્રિયા પૂર્ણ માનવામાં આવશે.