ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે નવી રણનીતિ તૈયાર કરી છે. વિધાનસભામાં સસ્પેન્શન બાદ વિપક્ષના તમામ સભ્યો આજે ગૃહમાં હાજર રહેશે. ગૃહમાં પ્રશ્નોતરીમાં નર્મદા અને જળસંપતિ પર વિરોધ થઈ શકે છે. કોંગ્રેસ હાઉસમાં જ રહીને મુદ્દો ઉઠાવશે. કોંગ્રેસના ધારાસભ્યોના સસ્પેન્શન બાદ રાજ્યસભાની ચૂંટણી થાય તો ભાજપને ફાયદો થઈ શકે છે.
મહત્વનુ છે કે કોંગ્રેસના 3 ઉમેદવારોને વિધાનસભામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેથી સસ્પેન્ડેડ ઉમેદવારો મતદાનથી અળગા રહી શકે છે. જોકે રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાસે પુરતું સંખ્યા બળ છે.
ઉલ્લેખનીય છે કે 14 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારી મામલે વિધાનસભા અધ્યક્ષે આકરી કાર્યવાહી કરી હતી. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મારામારી કરનારા ધારાસભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર અને પ્રતાપ દુધાતને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. તો કલોલથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.