બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After the clash in Una the police brought the situation under control
Malay
Last Updated: 12:17 PM, 2 April 2023
ગીર સોમનાથના ઉનામાં અથડામણ બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. પોલીસે અથડામણ કરનારા 70થી વધુ લોકોની ધરપકડ કરી છે. આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરની દુકાનો ખુલી છે. ભડકાઉ ભાષણ કરવા બદલ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, કાજલ હિન્દુસ્તાનીના ભાષણ બાદ ગઈકાલે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાયું હતું. જે બાદ શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ધર્મસભામાં કાજલ હિન્દુસ્તાનીએ આપ્યું હતું ભડકાઉ ભાષણ
વિગતવાર વાત કરીએ તો ઉના શહેરમાં રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 30 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન શહેરના ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેના પડઘા મુસ્લિમ સમાજમાં પડ્યા હતા.
મુસ્લિમ સમાજના લોકો ઉતર્યા હતા રસ્તા પર
31 માર્ચે મુસ્લિમ સમાજના લોકોએ વડલાચોક વિસ્તારમાં ચક્કાજામ કરીને કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ કર્યો હતો. બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપેલી હતી. જે બાદ ગીરસોમનાથ જિલ્લા એસપીએ શાંતિ સમિતિની મિટિંગ બોલાવી હતી. જેમાં વિવિધ સંગઠનનોના આગેવાનો, વેપારીઓ, સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જે બાદ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં બંન્ને સમાજ વચ્ચે સમાધાન થયું હતું.
પોલીસે સમાધાન કરાવ્યા બાદ પણ થયો પથ્થરમારો
પોલીસ અને આગેવાનોની શાંતિ સમિતિની બેઠકના કલાકો બાદ ફરી માહોલ તંગ બન્યું હતું. કુંભારવાડા વિસ્તાર અને કોર્ટ વિસ્તારમાં બે કોમના લોકો સામસામે આવી જતાં પથ્થરમારાની ઘટના બની હતી. ગીર સોમનાથના ઉનાના કુંભારવાડા અને કોર્ટ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં ફરી સમગ્ર વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
70થી વધુ તોફાનીઓને ઝડપી પાડ્યા
રાત્રિભર અજંપા ભરી સ્થિતિ વચ્ચે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવાયો હતો. રાત્રી દરમિયાન પોલીસે કુંભરવાળા,કોટ વિસ્તાર,ભોંય વાળા વિસ્તારમાં કોમ્બીંગ કર્યુ હતું. તોફાન ગ્રસ્ત વિસ્તારમાં કોમ્બિગ હાથધરી 70થી વધુ તોફાની તત્વોને ઝડપી પાડ્યા હતા. ગીર સોમનાથના ઉનામાં જૂથ અથડામણ બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરના ટાવર ચોક સહિત વિસ્તારમાં દુકાનો ખુલ્લી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert