સુરતમાં થયેલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે. અગ્નિકાંડ બાદ હવે રાજકોટમાં તંત્ર જાગ્યુ છે. રાજકોટમાં 2 દિવસમાં ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા 70 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યુ. ફાયર વિભાગે કરેલા ચેકિંગ દરમિયાન તમામ સ્થળોએ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો.
ફાયર વિભાગ દ્વારા 66 ક્લાસીસ અને 4 શાળા કામચલાઉ ધોરણે બંધ કરાવવામાં આવ્યા. મળતી માહિતી મુજબ શહેરમાં કેટલી ક્લાસીસો ચાલે છે તેની પણ મનપા પાસે માહિતી નથી. ત્યારે હવે એ પણ સવાલ છે, જો માહિતી જ નથી તો અધિકારીઓ દ્વારા કેવી રીતે તપાસ કરવામાં આવશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2019
સુરતમાં અગ્નિકાંડને લઇ રાજ્યભરના ટ્યૂશન ક્લાસીસોમાં તપાસ ચાલી રહી છે. ત્યારે ફાયર સેફ્ટીને લઇ જૂનાગઢ મનપા તંત્ર માત્ર નાટક કરતું હોય તેમ લાગી રહ્યું છે.
જૂનાગઢ મનપાની ટીમ દ્વારા ફાયર સેફ્ટીને લઇ 30 સ્થળો પર તપાસ કરી જેમાં 11 ક્લાસીસને સીલ કર્યા અને 148ને નોટિસ આપી. પરંતુ આ તપાસ ફાયર નિષ્ણાંતો વિના જ કરવામાં આવી. મનપાની ટીમમાં કોઇ ફાયર નિષ્ણાંત ન હતો.
સળગતા સવાલ
જૂનાગઢમાં તપાસના નામે કરાઇ રહ્યું છે નર્યું નાટક ?
ફાયર નિષ્ણાંત વિના જ કરાઇ રહી છે તપાસ ?
તપાસ ટીમમાં ન હતું કોઇ ફાયર નિષ્ણાંત ?
ફાયર નિષ્ણાંત વિના કેવી રીતે કરાઇ રહ્યું છે ચેકિંગ ?
શું માત્ર દેખાડો કરવા માટે કરાઇ રહી છે તપાસ ?
શું કાર્યવાહી ન થાય તે ડરે તપાસનું નાટક કરાઇ રહ્યું છે ?