બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / after rumors railway declare official news on luggage

તમારા કામનું / ખાસ વાંચો: અજાણતા સાંભળેલ ખોટા સમાચારથી પસ્તાશો, રેલવેએ લગેજને લઈએ કર્યો ખુલાશો

MayurN

Last Updated: 07:24 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવેએ લગેજ પોલિસીમાં ફેરફાર કર્યા ના સમાચાર આજકાલ બધે જ ફેલાયા હતા ત્યારે રેલવે દ્વારા આ વિશેની માહિતી આપી હતી. અને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી

  • રેલવેની લગેજ પોલિસીના નિયમોમાં ફેરફાર અંગે સ્પષ્ટતા
  • રેલવેએ પોતાના ટ્વીટર હેન્ડલ પર જણાવી માહિતી 
  • જૂની પોલિસી જ હજુ યથાવત કોઈ બદલાવ નથી થયો

લગેજ પોલિસીમાં ફેરફાર 
જો તમે રેલમાં મુસાફરી કરતા હોય તો આ વાત જાણવી જરૂરી છે યાત્રીઓ માટે હવે મહત્વના સમાચાર આવ્યા છે. રેલવેએ એક મોટા સમાચારનું ખંડન કર્યું છે. ભારતીય રેલવેએ રેલવેની લગેજ પોલિસીના નિયમોમાં ફેરફાર અંગેના અહેવાલોને અફવા ગણાવીને રદિયો આપ્યો છે.

રેલવે  ઇનકાર કર્યો
રેલવેએ મુસાફરોને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવાની સલાહ આપતા કહ્યું છે કે રેલવેની લગેજ પોલિસી 10 વર્ષ જૂની છે અને તે મુજબ રેલવે મુસાફરો પોતાની સાથે સામાન લઇ જઇ શકે છે. રેલવેએ સ્પષ્ટ કહ્યું છે કે ટ્રેનમાં બુકિંગ કરાવ્યા વગર સામાન લઈ જવા માટે મુસાફરે કોઈ વધારાના પૈસા ચૂકવવા પડશે નહીં. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ન્યૂઝ ચેનલો પર એક સમાચાર બતાવવામાં આવી રહ્યા હતા કે રેલવેએ પોતાની લગેજ પોલિસીમાં ફેરફાર કર્યો છે અને હવે નિર્ધારિત મર્યાદાથી વધુ લગેજ લઇ જનારા મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવશે. પરંતુ હવે આ સમાચાર પર રેલવે પોતાની સ્પષ્ટતા જાહેર કરી છે.

 

રેલવેએ ખરાઈ કરી 
રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્વીટર' પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે આ સમાચારોની સચ્ચાઈ શું છે ? રેલવેએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ન્યૂઝ ચેનલો પર એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે કે , મુસાફરી દરમિયાન લઇ જઇ શકાય તેવી ચીજવસ્તુઓની નીતિમાં રેલવે દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ભારતીય રેલવે દ્વારા આ અંગે કોઇ સર્ક્યુલર કે આદેશ જારી કરવામાં આવ્યો નથી. વર્તમાન નીતિ ખૂબ જ જૂની છે અને 10 વર્ષથી વધુ સમયથી અમલમાં છે. "

મુસાફર કેટલો સામાન લઈ જઈ શકે છે?
ભારતીય રેલવેના નિયમ મુજબ અલગ અલગ કેટેગરીમાં રેલ યાત્રીઓ મુસાફરી દરમિયાન પોતાની સાથે ટ્રેનના ડબ્બામાં 40 કિલોથી લઈને 70 કિલો સુધીનો ભારે સામાન લઈ જઈ શકે છે. જો આના કરતા વધારે સામાન હોય તો મુસાફરે વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. નિયમ એક હેઠળ સ્લીપર ક્લાસમાં 40 કિલો, ટુ ટાયરમાં 50 કિલો સુધી છૂટ આપવામાં આવી છે, જ્યારે ફર્સ્ટ ક્લાસ એસીમાં મહત્તમ 70 કિલો સુધીની છૂટ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ