બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / after rumors railway declare official news on luggage
MayurN
Last Updated: 07:24 PM, 7 June 2022
લગેજ પોલિસીમાં ફેરફાર
જો તમે રેલમાં મુસાફરી કરતા હોય તો આ વાત જાણવી જરૂરી છે યાત્રીઓ માટે હવે મહત્વના સમાચાર આવ્યા છે. રેલવેએ એક મોટા સમાચારનું ખંડન કર્યું છે. ભારતીય રેલવેએ રેલવેની લગેજ પોલિસીના નિયમોમાં ફેરફાર અંગેના અહેવાલોને અફવા ગણાવીને રદિયો આપ્યો છે.
રેલવે ઇનકાર કર્યો
રેલવેએ મુસાફરોને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવાની સલાહ આપતા કહ્યું છે કે રેલવેની લગેજ પોલિસી 10 વર્ષ જૂની છે અને તે મુજબ રેલવે મુસાફરો પોતાની સાથે સામાન લઇ જઇ શકે છે. રેલવેએ સ્પષ્ટ કહ્યું છે કે ટ્રેનમાં બુકિંગ કરાવ્યા વગર સામાન લઈ જવા માટે મુસાફરે કોઈ વધારાના પૈસા ચૂકવવા પડશે નહીં. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ન્યૂઝ ચેનલો પર એક સમાચાર બતાવવામાં આવી રહ્યા હતા કે રેલવેએ પોતાની લગેજ પોલિસીમાં ફેરફાર કર્યો છે અને હવે નિર્ધારિત મર્યાદાથી વધુ લગેજ લઇ જનારા મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવશે. પરંતુ હવે આ સમાચાર પર રેલવે પોતાની સ્પષ્ટતા જાહેર કરી છે.
News item covered on some social media/digital news platforms that the luggage policy of railways has recently been changed, is incorrect.
— Ministry of Railways (@RailMinIndia) June 6, 2022
It is hereby clarified that no change has been made in the recent past and the existing luggage policy is enforced for more than 10 years.
રેલવેએ ખરાઈ કરી
રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્વીટર' પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે આ સમાચારોની સચ્ચાઈ શું છે ? રેલવેએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ન્યૂઝ ચેનલો પર એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે કે , મુસાફરી દરમિયાન લઇ જઇ શકાય તેવી ચીજવસ્તુઓની નીતિમાં રેલવે દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ભારતીય રેલવે દ્વારા આ અંગે કોઇ સર્ક્યુલર કે આદેશ જારી કરવામાં આવ્યો નથી. વર્તમાન નીતિ ખૂબ જ જૂની છે અને 10 વર્ષથી વધુ સમયથી અમલમાં છે. "
મુસાફર કેટલો સામાન લઈ જઈ શકે છે?
ભારતીય રેલવેના નિયમ મુજબ અલગ અલગ કેટેગરીમાં રેલ યાત્રીઓ મુસાફરી દરમિયાન પોતાની સાથે ટ્રેનના ડબ્બામાં 40 કિલોથી લઈને 70 કિલો સુધીનો ભારે સામાન લઈ જઈ શકે છે. જો આના કરતા વધારે સામાન હોય તો મુસાફરે વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. નિયમ એક હેઠળ સ્લીપર ક્લાસમાં 40 કિલો, ટુ ટાયરમાં 50 કિલો સુધી છૂટ આપવામાં આવી છે, જ્યારે ફર્સ્ટ ક્લાસ એસીમાં મહત્તમ 70 કિલો સુધીની છૂટ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert