નવી દિલ્હી: ભારતીય ટીમના કોચ પદની દોડમાં હજૂ એક નામ જોડાઇ ગયું છે. પૂર્વ ખેલાડી વેકેંટેશ પ્રસાદે પણ કોચ પદ માટે એપ્લાય કરી દીધું છે. વેકેંટેશ પ્રસાદ પણ જૂનિયર ઇન્ડિયા ટીમના ચીફ સેલેક્ટર છે. હાલમાં જ પૂર્વ ડાયરેક્ટર રવિ શાસ્ત્રીએ કોચ પદ માટે કર્યું છે.
આપને જણાવી દઇએ કે વેકેંટેશ પ્રસાદે ભારતીય ટીમ માટે 33 ટેસ્ટ અને 162 વનડે મેચ રમી છે. હવે કોચ પદની રેસમાં વેકેંટેશ પ્રસાદ રવિ શાસ્ત્રી લાલચંદ રાજપૂત ડોડા નરેશ જેવા અન્ય મોટા નામ પણ રેસમાં છે.
શાસ્ત્રીને સચીને મનાવ્યો
આપને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાના પૂર્વ ડારેક્ટર રવિ શાસ્ત્રીએ પણ ભારતીય ટીમના કોચ પદ માટે આવેદન આપી દીધું છે. હવે સમાચાર મળી રહ્યા છે કે શાસ્ત્રીને ભારતના પૂર્વ મહાન બોલર સચિન તેંદુલકરે આવેદન આપવા માટે રાજી કર્યા હતા.
સચિન તેંદુલકરના કહેવા પર જ શાસ્ત્રીએ ભારતીય ટીમના કોચ પદ માટે આવેદન આપ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર શાસ્ત્રી અને સચિન બન્ને જ લંડનમાં રજાઓ માણી રહ્યા છે. લંડનમાં સચિનએ શાસ્ત્રી સાથે વાતચીત કરી અને તેમને આવેદન આપવા માટે રાજી કર્યા હતા.