કચ્છ જિલ્લો પણ વરસાદથી તરબોળ થયો છે. કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે. તો બીજી તરફ કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે વાતાવરણ પણ આહલાદક બન્યું છે. કચ્છમાં વહેતી નાગમતી નદીમાં પાંચ વર્ષ બાદ નવા નીર આવ્યા છે. જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.