હોમગ્રાઉન્ડમાં વ્હાઇટ વોશ સાથે હાર મેળવ્યા બાદ ટીમનાં ખરાબ પ્રદર્શનનને સુધારવા માટે શ્રીલંકા ક્રિકેટ મંત્રીએ નવી ક્રિકેટ સમિતિનું ગઠન કરવાનો નિર્ણય લીધો છે.
શ્રીલંકાની હાર બાદ નારાજ લોકોએ ટીમ વિરુદ્ધ પગલા લેવાની માંગ કરી
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી ચાલુ કરાશે ફેરફારો
દરેક ઉચ્ચ પદ માટે નવી નિયુક્તિ કરવાની સંરચના
નવી ક્રિકેટ સમિતિનું ગઠન
શ્રીલંકાનાં રમત મંત્રી નમલ રાજપક્ષેએ શનિવારે કહ્યું કે, નવી ક્રિકેટ સમિતિનું ગઠન કરવામાં આવશે. જે ક્રિકેટરો અને કોચોની પ્રગતિનું નિરિક્ષણ કરશે. શ્રીલંકાની હોમગ્રાઉન્ડ સીરિઝમાં ઈંગ્લેન્ડ સામે 2-0ની હાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં જ પૂરી થયેલ સીરિઝમાં શ્રીલંકાની હાર બાદ નારાજ લોકોએ રમતમાં તેમની ટીમનાં ખરાબ પ્રદર્શનને રોકવા માટે પગલા લેવાની માંગ કરી હતી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનાં ઢાંચામાં ફેરફાર
ઘણી બેઠકો બાદ નમલે નિર્ણય લીધો કે હાલની શ્રીલંકની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનાં ઢાંચામાં પુનર્ગઠન કરવામાં આવશે. નવા સુપર પ્રાતિય ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે અને નેશનલ ટીમનાં ટીમ મેન્ટર, ક્રિકેટ નિર્દેશક અને પૂર્ણકાલિન મેનેજરને લાવવામાં આવશે. રાજપક્ષેએ શનિવારે કહ્યું કે તેમને શ્રીલંકા ક્રિકેટની નવી ક્રિકેટ સમિતિ માટે નામો પ્રસ્તાવિત કર્યાં છે.
ખેલાડી અને કોચ પર નજર રખાશે
વધુમાં તેમણે કહ્યું કે, આ નવી સમિતિ ખેલાડીઓ અને કોચોની પ્રગતિ પર નજર રાખશે અને સુનિશ્ચિત કરશે કે રમત મંત્રાલય અને એસએલસીની જે ઉદ્દેશ્ય પર સહમતિ બની છે તેને પૂરી રીતે લાગુ કરવામાં આવશે. સમિતિમાં પૂર્વ ક્રિકેટર અને કોર્પોરેટ નેતૃત્વકર્તાઓ સામેલ થશે. અત્યારસુધી નવી ગઠિત સમિતિની પણ નિયુક્તિ કરવામાં નથી આવી.