ભારત-શ્રીલંકા સીરીઝમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલનુ પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. તેમણે તેમની વિસ્ફોટક બેટીંગે સૌને પ્રભાવિત કર્યા.
ભારત-શ્રીલંકા સીરીઝમાં અક્ષર પટેલનુ પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું
ત્રણેય સીરીઝમાં એમની બેટીંગથી સૌથી વધુ યોગદાન આપ્યું
પ્લેયર ઓફ ધ સીરીઝનાં ખીતાબથી સન્માનીત કરવામાં આવ્યા
ભારત-શ્રીલંકા સીરીઝમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલનુ પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. તેમણે તેમની વિસ્ફોટક બેટીંગે સૌને પ્રભાવિત કર્યા. એમણે ત્રણેય સીરીઝમાં એમની બેટીંગથી સૌથી વધુ યોગદાન આપ્યું હતું. એમણે છગ્ગા-ચોક્કા જોઈને દર્શકો ખૂબ જ ખુશ થયા. એમનાં ધમાકેદાર પ્રદર્શનને કારણે એમને પ્લેયર ઓફ ધ સીરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પ્લેયર ઓફ ધ સીરીઝનો ખીતાબથી સન્માનીત કરવામાં આવ્યા
શ્રીલંકા સામે ટી 20 સીરીઝમાં અક્ષર પટેલનું પ્રદર્શન ખૂબ જ સારૂ હતું. તેમણે શાનદાર બેટીંગ કરી સૌને પ્રભાવિત કરી ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ત્યારે સીરીઝ પૂર્ણ થયા બાદ પ્લેયર ઓફ ધ સીરીઝનો ખીતાબથી સન્માનીત કરવામાં આવ્યા હતા. એ એવોર્ડ મેળવ્યા બાદ તેમણે પ્રદર્શનનો શ્રેય ટીમ ઈન્ડિયાના આ વ્યક્તિને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે,
" મને ખુશી છે કે હું બેટથી પણ ટીમ માટે યોગદાન આપી શક્યો. આ સીરીઝ માટે કંઈ જ અલગ નથી કર્યું, માત્ર કેપ્ટને મને ડગ આઉટમાં ઘણો આત્મવિશ્વાસ આપ્યો. એમણે મને ખુલીને રમવા માટે કહે છે. એમને હંમેશા લાગે છે કે એમનો સપોર્ટ હંમેશા મારી સાથે છે. અમે ટીમ મીટીંગ દરમ્યાન ઘણી યોજનાઓ બનાવીએ છીએ. પરંતું ક્યારેક ભૂલ થઈ જાય છે અને હું માત્ર મારી યોજનાઓને જ સારી રીતે ધ્યાન આપું છું. "
28 વર્ષીય ઓલરાઉન્ડરે આ શ્રેણીમાં કુલ 117 રન બનાવ્યા
ભારત vs શ્રીલંકા શ્રેણીમાં, અક્ષર પટેલે તેની બેટિંગથી બધાને દિવાના બનાવ્યા હતા. જોકે તે બોલથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે સિરીઝની ત્રણેય મેચમાં સારા એવા રન બનાવ્યા હતા. 28 વર્ષીય ઓલરાઉન્ડરે આ શ્રેણીમાં કુલ 117 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે ત્રણ વિકેટ પણ લીધી હતી. તે જ સમયે, ત્રીજી T20 મેચમાં, તેણે 233.33ની શાનદાર સ્ટ્રાઇક રેટથી માત્ર 9 બોલમાં 21 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે તેણે કુસલ મેન્ડિસને આઉટ કરીને ટીમ ઈન્ડિયા માટે મહત્વની વિકેટ મેળવી હતી.