મહાશિવરાત્રિ આગામી 21 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસની તમામ ભક્તો રાહ જોઇને બેઠાં છે. કારણ કે આ દિવસે શિવજીની પૂજા અન્ય દિવસોની અપેક્ષાએ વધુ ફળદાયી હોય છે. ખાસ કરીને મહાશિવરાત્રિ ભગવાન શિવને સૌથી પ્રિય દિવસમાંથી એક છે. જો કે, 2020ની મહાશિવરાત્રિ પર ખાસ સંયોગ બની રહ્યો છે.
મહાશિવરાત્રિએ બની રહ્યો ખાસ યોગ
59 વર્ષમાં એક વખત બને છે આવી ઘટના
શિવ-પાર્વતી સાથે દેવી લક્ષ્મીની આરાધના કરવાથી થશે ફાયદો
આ વર્ષે મહાશિવરાત્રિ 21 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસે શુક્રવારે છે જે દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ સાથે જ આ દિવસે શ્રવક નામક શુભ નક્ષત્રનો પણ સંયોગ છે. શ્રવણ નક્ષત્રના ગ્રહપતિ ચંદ્રમા છે અને તેના દેવતા ભગવાન વિષ્ણુ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. શ્રવણ નક્ષત્રમાં શિવરાત્રિ અને શ્રાવણ સોમવારનું હોવું તે દિવસનું મહત્વ વધારી દેનારું છે. કારણ કે, આ નક્ષત્રમાં પૂજા કરવાથી ભગવાન શિવ ખુબ જ પ્રસન્ન થઇ જાય છે. આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પૂજા કરવાથી તમારો ચંદ્રમા બળવાન થાય છે અને માનસિક બળ વધે છે. આ સાથ જ શુક્રવારે શિવરાત્રિ વ્રત પૂજન કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
ગ્રહોનો પણ થઇ રહ્યો છે શુભગ સંગમ
આ દિવસે ધન અને સુખ કારક ગ્રહ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં છે. શનિ મહારાજ પોતાની મકર રાશિમાં. ગુરૂ પોતાની ધનુ રાશિમાં છે. આ સાથે જ રાહુ-કેતુ પણ તેમની ઉચ્ચની રાશિમાં રહેશે. ત્યારે આ દિવસે શિવ તથા પાર્વતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે.
મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ
મહાશિવરાત્રિના દિવસે સર્વાર્થ સિદ્ધિ નામનો શુભ યોગ પણ બની રહ્યો છે. આ શુભ યોગને જ્યોતિષશાસ્ત્રમાં તમામ અશુભ મુશ્કેલીઓને દૂર કરનારું છે. આ યોગમાં કોઇપણ શુભ કામ કરી શકાય છે. આ સમયે શિવ ઉપાસના, રૂદ્રાભિષેક, મહામૃત્યુંજય મંત્ર, હવન કરવાથી ફાયદો થાય છે.
જીવનમાં એક વખત મળે છે આ સંયોગ
આ વર્ષે મહાશિવરાત્રિના રોજ જણાવવામાં આવેલા 5 મહાયોગમાંથી 2 મહાયોગ પણ બની રહ્યો છે. શનિ પોતાની રાશિમાં હોવાથી શશ નામક યોગ રહેશે જ્યારે ગુરૂ પોતાની રાશિમાં હોવાથી હંસ નામનો રાજયોગ બને છે. આ સંયોગ 59 વર્ષ બાદ બની રહ્યો છે.