દેશભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને મનોરંજન જગત તો જાણે તેનુ ફેવરિટ પ્લેસ હોય તેમ આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ પણ પોઝીટીવ આવ્યા છે.
આદિત્ય નારાયણ અને શ્વેતાને કોરોના પોઝીટીવ
બોલીવૂડ પર કોરોનાની બાજ નજર
આમિર ખાન બાદ સિંગરનો પરિવાર પણ પોઝીટીવ
Hello all! Unfortunately, my wife Shweta & I have tested positive for Covid-19 & are in quarantine. Please stay safe, continue following protocol & do keep us in your prayers. This too shall pass ❤️
રણબીર કપૂરથી શરૂ થયેલો સિલસીલો કાર્તિક આર્યન, આમિર ખાનથી લઇને આદિત્ય નારાયણ સુધી પહોંચ્યો છે. આદિત્યએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે બધાને નમસ્કાર, દુર્ભાગ્યથી મારી પત્ની શ્વેતા અને હું કોવિડ પોઝીટીવ આવ્યા છીએ. સુરક્ષિત રહો અને પ્રોટોકોલનુ પાલન કરો અને અમારા માટે પ્રાર્થના કરો, આ સમય પણ વિતી જશે.
કોરોનાની વેક્સિન આવ્યા બાદ બોલીવૂડ ધીમે ધીમે પોતાના કામ તરફ વળી રહ્યુ હતુ. તેણે રફ્તાર પકડી અને શૂટિંગ શરૂ થઇ રહ્યાં હતા પરંતુ એક બાદ એક સ્ટાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. મહત્વનુ છે કે આદિત્ય નારાયણ 1 ડિસેમ્બર 2020ના રોજ શ્વેતા સાથે લગ્નના સંબંધમાં બંધાયો હતો. ધૂમ ધામથી આદિત્યએ પોતાની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ શ્વેતા સાથે લગ્ન કર્યા હતા.
Hey you. Yes, YOU! You’re amazing. Have a brilliant f***ing day 👏🏼❤️👌🏼
આ પહેલા ખબર આવી હતી કે રિયાલીટી શો ઇન્ડિયન આઇડલના મેકર્સે આદિત્યને થોડા સમય માટે રજા આપી દીધી છે અને તેની જગ્યાએ જય ભાનુશાલી શોને હોસ્ટ કરશે.
આ વાતની જાણકારી જય ભાનુશાલીએ પોતે સોશ્યલ મિડીયા દ્વારા ફેન્સને આપી છે. જયે લખ્યુ કે ઇન્ડિયન આઇડલ 12ને હોસ્ટ કર્યુ બધા જ કન્ટેસ્ટન્ટ અને જજ સાથે મજા આવી. આ શનિવાર રેખાજીના નામ છે. સેટ પર રેખાજીએ કમાલ કર્યો છે.