પૂનામાં રહેતા પજ્ઞાચક્ષુ પિયાનિસ્ટ આકાશ (આયુષ્માન ખુરાના) એક મર્ડર પછી છુપાયેલો છે. પરિસ્થિતિ એવી સર્જાય છે કે તે મર્ડરની ફરિયાદ નોંધાવા મજબૂત થઇ જાય છે. જોકે ટેક્નિકલી તે મર્ડરનો સાક્ષી નથી પરંતુ આંખો ન હોવા છતાં આ મર્ડરને રિપોર્ટ કરવો તેના માટે જરૂરી બની જાય છે.
શ્રીરામ રાઘવન પોતાની થ્રિલર ફિલ્મો માટે વખાણાય છે અને પોતાના આ હુનરનો ઉપયોગ તેમણે અંધાધુનમાં ઘણો સારી રીતે કર્યો છે. ઘણા ઓછા ફિલ્મમેકર એવા હોય છે જે આ જૉનરની ફિલ્મો સારી રીતે બનાવી શકે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે જરૂરી નથી કે જે દેખાય તે જ વાસ્તવિકતા હોય.
એક પજ્ઞાચક્ષુ પિયાનિસ્ત તરીકે આયુષ્માને ઘણી સારી એક્ટિંગ કરી છે. આ ફિલ્મ 2010માં આવેલી ઑલિવર ટ્રીટમેન્ટની ફ્રેન્ચ શોર્ટ ફિલ્મ લૈકોકરોથી પ્રેરિત છે. આખી ફિલ્મ તમને સ્ટોરીથી બાંધી રાખે છે અને તમારું દિમાગ ફિલ્મમાં ડુબેલું રહે છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે ઘણો સારો છે અને સ્ટોરીની ટિવસ્ટ ફિલ્મને વ્યુઅર્સ માટે રોમાંચક બનાવે છે.
જોકે કેરેક્ટર્સ વચ્ચેની લાંબી વાતચીત ક્યારેક ક્યારેક સ્ટોરીને અટકાવી દે છે અને ફિલ્મ થોડી બોરિંગ લાગવા લાગે છે. પરંતુ તેની અસર સ્ટોરી પર નથી પડતી અને ક્લાઇમેક્સ તમને ચોંકાવી દેશે.
એક્ટિંગ:
'અંધાધુન'માં આયુષ્માને બેસ્ટ એક્ટિંગ કરી છે. એમ કહી શકાય કે આયુષ્માને અત્યાર સુધીનો બેસ્ટ અભિનય તેણે આ ફિલ્મમાં આપ્યો છે. તે પોતાના પાત્રમાં એ હદે ડૂબી ગયો છે કે તેના બદલે બીજા કલાકારની કલ્પના જ કરવી અશક્ય છે. તબ્બુએ ઘરડા વ્યક્તિની બોરિંગ વાઈફનો રોલ કર્યો છે. તેણે પણ પાત્રમાં જીવ રેડી દીધો છે. તો અનિલ ધવને ઓલ્ટ સ્ટારના રોલને સારી રીતે પ્લે કર્યો છે. અન્ય એક્ટર્સ જેમ કે પોલીસ અધિકારી(માનવ વિજ) તેની પત્ની અશ્વિની કલસેકર લાલચી લોટરી ટિકિટ વેચનાર(છાયા કદમ) તથા બેશરમ અપ્રામાણિક ડોક્ટર ઝાકિર હુસૈને પણ સારું કામ કર્યું છે.
મ્યૂઝિક:
અમિત ત્રિવેદીએ મ્યૂઝિક સારું આપ્યુ છે. જે ફિલ્મની સ્ટોરી સાથે મેચ કરે છે.
ફિલ્મ જોવી કે નહી:
જો તમને થ્રિલર ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ તમારા માટે એક સારું પેકેજ છે.