કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વની સાથે ભારતની અર્થવ્યવસ્થા પણ ભારે નુકસાન થઇ રહ્યું છેય તેના કારણે જ એશિયાઇ વિકાસ બેંકે અનુમાન વ્યક્ત કર્યું છે કે, નાણાકીય વર્ષ 2020માં ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 4 ટકા રહી શકે છે.
કોરોના વાયરસે મચાવ્યો કહેર
ભારતની GDP વૃદ્ધિ 6.2 ટકા સુધી પહોંચી શકશે
નોંધનીય છે કે આ પહેલા ઘણી રેટિંગ એજન્સીઓએ ભારતના તેમના જીડીપી વૃદ્ધિના અનુમાનમાં પણ ફેરફાર કર્યા છે. ગયા વર્ષે આવેલી સુસ્તીથી ભારતનો વિકાસ દર ધીમો રહ્યો છે. જોકે, એડીબીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2021 માં ભારતની જીડીપી વૃદ્ધિ 6.2 ટકા સુધી પહોંચી શકે છે.
એડીબીએ શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એડીબીના પ્રમુખ મસાત્સુગુ અસાકાવાએ કહ્યું કે, ઘણા પડકારજનક સમયનો સામનો કરવો પડશે. કોવિડ -19 ની અસર વિશ્વના લોકોના જીવન પર પડી છે અને ઉદ્યોગ અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ રહી છે. બેંકે તેના 'એશિયન ડેવલપમેન્ટ આઉટલુક' (એડીઓ) 2020 માં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020 માં ભારતનો જીડીપી વૃદ્ધિદર ચાર ટકા પર આવી શકે છે.
સરકારનું શું અનુમાન છે
ભારત સરકારની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSO)નાણાકીય વર્ષ 2019 - 20 માં ફક્ત 5 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ છે. આ સાથે જ, સરકારના નાણાકીય સર્વેમાં, નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી વૃદ્ધિ દર 6-6.5% ની વચ્ચે હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એમ પણ કહ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં તેનો જીડીપી ગ્રોથ રેટ 6 ટકા રહેશે.