સાઉથ સિનેમાની અભિનેત્રી સાઈ પલ્લવીના કાશીર ફાઈલ મુદ્દેના નિવેદનથી લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે ત્યારે આ મુદ્દે લોકોના બે વિભાગ પડી ગયા છે.
અભિનેત્રીએ કહ્યું હું કોઈના પક્ષમાં નથી
પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત
હિંસા મુદ્દે ઈન્ટરવ્યુંમાં કરી વાત
કાશ્મીર ફાઈલ મુવીને લઈને વિવાદ
સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવી પોતાના બિન્દાસ એટીટ્યુડ માટે જાણીતી છે ત્યારે તેના એક નિવેદને દેશભરમાં તોફાન મચાવી દીધું છે. અભિનેત્રી પોતાની આવનારી ફિલ્મ Virata Parvam ને લઈને ચર્ચિત છે ત્યારે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે બોલિવૂડની ફેમસ ફિલ્મ કાશ્મીર ફાઈલ્સનો ઉલ્લેખ હિંસા અને ધર્મના મુદ્દે કર્યો હતો.
ભેદભાવ વિના બધાને સુરક્ષિત રાખવા જોઈએ
સાઈ પલ્લવી આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'વિરાટ પરવમ' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેણે એક એવી છોકરીના પાત્રનો રોલ કર્યો છે જેને નક્સલવાદી સાથે પ્રેમ થઇ જાય છે. તેલુગુ ભાષાની આ ફિલ્મ 17 જૂને થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. તેના પ્રમોશન દરમિયાન મીડિયાના સવાલોના જવાબ આપતા સાઈએ આ વિવાદિત નિવેદન આપ્યું છે. એક યૂટ્યૂબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સાઈને પૂછવામાં આવ્યું કે શું તે ફિલ્મમાં કોઈ નક્સલવાદીને પ્રેમ કરે છે, શું રિયલ લાઈફમાં તેનો આ વિચારધારા સાથે ક્યારેય સંબંધ રહ્યો છે. તેણે જવાબ આપ્યો, "હું કોઈના પક્ષમાં નથી. પરંતુ આ પછી તેમણે કાશ્મીરની ફાઈલોના બહાને ધર્મ અને હિંસા પર વાત કરી અને કહ્યું કે સમાજમાં જે પણ વર્ગ પર અત્યાચાર થાય છે, તેને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, સુરક્ષિત રાખવા જોઈએ. પછી ભલે તે લેફ્ટ વિંગ હોય કે રાઇટ વિંગ.
સમાન લોકો વચ્ચે જ લડાઈ થઇ શકે
સાઈએ એમ પણ કહ્યું- હું તટસ્થ રહું છું અને પીડિતો માટે ઉભા રહેવાનો પ્રયાસ કરું છું. હું માનું છું કે માત્ર બે સમાન લોકો વચ્ચે જ લડાઈ થઈ શકે છે, બે જુદા જુદા લોકો વચ્ચે નહીં. આ જ ઈન્ટરવ્યૂમાં સાઈએ આગળ કહ્યુ - કાશ્મીર ફાઈલ્સે બતાવ્યુ કે તે સમયે કેવી રીતે કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. જો તમે આ મુદ્દાને ધાર્મિક સંઘર્ષ તરીકે લઈ રહ્યા છો, તો તાજેતરમાં જ એક એવી ઘટના બની હતી જેમાં ગાયો લઈને જતા એક મુસ્લિમ ડ્રાઇવરને માર મારવામાં આવ્યો હતો અને 'જય શ્રી રામ' ના નારા લગાવવાની ફરજ પડી હતી. તો પછી આ બે ઘટનાઓમાં એક ભૂતકાળનો અને બીજો વર્તમાનમાં વચ્ચે ક્યાં તફાવત છે?"
“For me violence is wrong form of communication. Mine is a neutral family where they only taught to be a good human being. The oppress, however, should be protected. I don’t know who’s right & who’s wrong. If you are a good human being, you don’t feel one is right.”
- #SaiPallavipic.twitter.com/o6eOuKvd2G
ક્લિપ થઇ વાયરલ
સાઈ પલ્લવીના આ ઈન્ટરવ્યૂની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના આ નિવેદનથી લોકોના બે ગ્રુપમાં બની ગયા છે. કેટલાક લોકો સાઈ પલ્લવીની વાત સાથે સહમત થઈ રહ્યા છે, તો ઘણા લોકો અભિનેત્રીના નિવેદનને વાહિયાત ગણાવીને તેના પર ભડકી ઉઠ્યા છે.
લોકોની પ્રતિક્રિયાઓ
લોકોએ આ મુદ્દે તેમની પ્રતિક્રિયાઓ આપવાનું ચાલુ કરી દીધું હતું ત્યારે ચાલો જોઈએ તેમાંથી થોડી પ્રતીક્રીયાઓ
Best part in #SaiPallavi 's statement that she agreed that they were
'Cow Smugglers'
Will tomorrow India will accept if someone starts smuggling your pets like dogs & cats from your houses?
Why steal someone's cow? It should be dealt with strict punishments.
I thought she is an intelligent and grounded girl. Disappointed with #SaiPallavi’s nonsensical comparisons. Stupidity, I guess, comes naturally with the stardom. https://t.co/CCCveqePV7