એક્ટ્રેસ પાયલ ઘોષે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર યૌન શોષણના આરોપ લગાવ્યા છે. પાયલે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા ન્યાય માટે પ્રધાનમંત્રી પાસે અરજી પણ કરી છે. પાયલે એમ પણ કહ્યું કે, સુરક્ષા ખતરામાં છે.
અભિનેત્રી પાયલ ઘોષે લગાવ્યો અનુરાગ કશ્યપ પર આરોપ
અભિનેત્રી પાયલે PMOને ટ્વીટ કરીને માગી મદદ
કંગના રણૌતે પાયલ ઘોષનું કર્યુ સમર્થન
એક્ટ્રેસ પાયલ ઘોષે ટ્વીટ કરીને લખ્યું કે, અનુરાગ કશ્યપે ખુબ જ ખરાબ રીતે મને ફોર્સ કર્યો. નરેન્દ્ર મોદીજી પ્લીઝ એક્શન લો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ માણસ પાછળના રાક્ષસ ને. મને ખબર છે કે આ મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા ખતરામાં છે. પ્લીઝ મદદ કરો.
એક્ટ્રેસના ટ્વીટ બાદથી કેટલાક લોકો આના પર રિએક્ટ કરી રહ્યા છે. નેશનલ કમીશન ફોર વીમેનની ચેયરપર્સન રેખા શર્માએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, પાયલ NCWને ફરિયાદ મોકલે. ત્યારે એક્ટ્રેસ કંગના રણૌતે પણ રિએક્ટ કર્યું છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, અનુરાગ કશ્યપની ધરપકડ થાય. આ મામલે હું પણ હજુ અનુરાગ કશ્યપ તરફથી કોઇ પ્રતિક્રિયા નથી આવી.
કંગના રણૌતે કહ્યું- અનુરાગની ધરપકડ થાય
પાયલે ટ્વીટને શેર કરતા કંગનાએ લખ્યું કે, દરેક અવાજનો અર્થ છે. #MeToo #ArrestAnuragKashyap