જજે માનવ ગુણોને પ્રાધાન્ય આપ્યું અને કેસ કર્યો બંધ
આરોપી કિશોરે ઇન્ટર સાયન્સમાં ફર્સ્ટ ક્લાસ પાસ કરવા માટે કોર્ટમાં માર્કશીટ રજૂ કરી હતી
કિશોરે કોર્ટમાં રજૂ કરી માર્કશીટ
સામાજિક અને કિશોર હીતમાં ચુકાદો આપવા માટે પ્રખ્યાત જજ માનવેંદ્ર મિશ્રાએ ફરીવાર માનવીય ગુણોને પ્રાથમિકતા આપતો એક ચુકાદો શનિવારે આપ્યો છે. એક કિશોરે ઇન્ટર સાયન્સમાં આવેલા રિઝલ્ટને કોર્ટમાં રજૂ કરતાં આકાયું કે સર ઇન્ટર(બોર્ડ)માં ફર્સ્ટ આવ્યો છું. તે બાદ જજ મિશ્રાએ તે છોકરા તથા માતા પિતાની કાઉન્સેલિંગ કરી છૂટો કરી દીધો.
શું હતો આરોપ?
આરોપી કિશોર નાલંદા પોલીસ સ્ટેશનના એક ગામનો રહેવાસી હતો અને તેની સામે વર્ષ 2019માં એક પરિજન સાથે મારમારી અને છેડતીનો આરોપ હતો. આરોપીએ પોતાનું રિઝલ્ટ બતાવ્યું તો તેને 69 ટકા આવ્યા હતા.
કોર્ટે કેસ બંધ કરી દેવાના આપ્યા આદેશ
જજે તે કિશોરને આગળના ભણતર વિશે પૂછપરછ કરી. સાથે જ તેના માતા પિતા સાથે પણ ભવિષ્યને લઈને જાણકારી લીધી. માતા પિતાએ પણ કહ્યું કે તેમનો દીકરો ખૂબ તેજસ્વી છે. તે આગળ વધીને એન્જિનિયર બનવા માંગે છે. માતા પિતાએ કેસ સમાપ્ત કરવાનો આગ્રહ કર્યો અને જજે છોકરાની પ્રતિભાને જોતાં કેસને આગળ વધારવાની કાર્યવાહી રોક લગાવી દીધી.
જજે પોતાના ચુકાદામાં કહ્યું છે કે કેસ ચાલુ રાખવામાં આવે તો કિશોરના શિક્ષણ પર તેની અસર પડે તેમ હતું. એવામાં કિશોરના હીતમાં હતું કે કેસને બંધ કરી દેવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું કે કિશોરમાં એક સ્વભાવ હોય છે કે જ્યારે તે પોતાના પરિવારના લોકોને લડાઈ ઝઘડામાં જોવે છે ત્યારે તે પોતાના માતા પિતા અથવા પરિવારના બચાવમાં પોતે આવી જાય છે.