વાસ્તુ શાસ્ત્રના અનુસાર જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે તે ઘરમાં હંમેશા કોઈ ન કોઈ મુશ્કેલીઓ આવતી હોય છે. વાસ્તુ વૈજ્ઞાનિકોની માનિએ તો તેના કારણે ઘરમાં રહેનારાઓનું સ્વાસ્થ્ય આવક વગેરે પર ખુબ ઉંડી અસર પડતી હોય છે.જેના કારણે તેમની લાઈફમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે.
જો તમારા જીવનમાં વાસ્તુ દોષના કારણે પરેશાનીઓ આવે છે તો તેનાથી બચાવ માટે તમે તમારા ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ કેળાનું ઝાડ અને ડાબી બીજુ તુલસીનો છોડ લગાવી શકો છો. પણ જો આમ કરવું સંભવ ન હોય તો વાસ્તુશાસ્ત્રમાં કંઈક એમ કહેવામાં આવ્યુ છે કે જેને સાચી જગ્યા પર લખવા માત્રથી જ વાસ્તુદોષ દૂર થઈ જાય છે.
ઘરનો ઉત્તરી ભાગ જો વાસ્તુ દોષથી પીડિત હોય તો આ દિશામાં એક સાદા કાગળ પર 'अ' લખીને ચોંટાડો.
પૂર્વ દિશામાં રહેલા વાસ્તુ દોષને દૂર કરવા માટે આ દિશામાં 'ચન્દ્ર બિંદુ' લખીને ચોંટાડી દો.
પૂર્વ દિશામાં રહેલા વાસ્તુ દોષને દૂર કરવા માટે આ દિશામાં 'ॐ' લખીને ચોંટાડી દો.