વિશ્વમાં કોરોના વાયરસની ધાક જામી રહી છે. હાલ ભારતમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યુ છે, પરંતુ શરદી, કફ બહાર નીકળવાનો આજ સમય છે, એટલે જનમાનસ માટે ચિંતાનો વિષય છે. લોકોને ચિંતા આ છે કે વાયરસના પ્રભાવમાંથી મુક્તિ ક્યારે મળશે? આ માટે જ્યોતિષ વિશેષજ્ઞ શ્રી હેમેન્દ્રભાઈ જણાવે છે કે જ્યોતિષની જ્ઞાન ગણના મુજબ સપ્ટેમ્બર મહિના સુધી મિથુન રાશિમાં રાહુ રહેશે જે વિશેષ પ્રભાવી છે, જૂન મહિનાથી તેના પાર નિયત્રંણ શરુ થશે, ભારતમાં તેની અસર અન્ય દેશ કરતા ઓછી જોવા મળશે.
ભારતમાં રહેશે કોરોનાની અસર ઓછી
રોગપ્રતિકારક શક્તિ વધારવા કરી લો આ ઉપાય
મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી મળશે આ ફાયદો
ગ્રહોની આ ચાલને કારણે ભારતમાં કોરોનાની અસર ઓછી રહેશે
ભારતનું પુરાતન સમયનું વિજ્ઞાન ઉચ્ચકોટિનું છે, અહીંયા શિવ સ્વયં, સમયના દેવતા મહાકાલ સ્વરૂપે વિદ્યમાન છે. જેથી ભારત પાસે સમયનું જ્ઞાન પણ ઉચ્ચકોટિનું છે, જેને આપણે જ્યોતિષ વિજ્ઞાન કહીએ છીએ, જ્યોતિષની જ્ઞાન ગણના મુજબ સપ્ટેમ્બર મહિના સુધી મિથુન રાશિમાં રાહુ રહેશે જે વિશેષ પ્રભાવી છે, જૂન મહિનાથી તેના પાર નિયત્રંણ શરુ થશે, ભારતમાં તેની અસર અન્ય દેશ કરતા ઓછી જોવા મળશે.
કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આ ઉપાયો
ભારતીય યોગ વિજ્ઞાન મુજબ ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીને પોતાની શારીરિક અને રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકાય, ભસ્ત્રિકા પ્રાણાયામથી વાત, પિત્ત, કફ ત્રણેય પર નિયત્રંણ કરી શકાય, ભૂખ્યા પેટે ગરમ પાણી પીવાથી પણ કેન્સર અને માનસિક રોગો પર પણ નિયત્રંણ કરી શકાય છે, ગાયના મૂત્ર અર્ક પીવાથી કેન્સર જેવા રોગ સામે આપણે રક્ષણ મેળવી શકીયે છીએ.
ભારતીય યજ્ઞ વિજ્ઞાન મુજબ લીમડો, કપૂર, ગુગલ, લવિંગ, લોબાનનો નિયમિત ધૂપ કરવાથી ઘણા જીવ જંતુ દૂર કરીને વાતાવરણને શુદ્ધ કરી શકાય, નિયમિત નાનો યજ્ઞ કરવાથી ઘરના વાતાવરણને અનેક જીવજંતુ વાયરસથી મુક્ત કરી શકાય.
મંત્ર વિજ્ઞાન મુજબ " રામ " મંત્રનો નાભિ પર ધ્યાન કરીને નિયમિત જાપ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે, આત્મવિશ્વાસ વધે અને હનુમાનજીની કૃપા પણ મળે. મહામૃત્યુંજય મંત્ર નિયમિત જાપ કરવાથી દિવ્ય સુરક્ષા કવચ શરીરની આસપાસ તૈયાર થાય છે. જે અકાળ મૃત્યુને પણ ટાળી શકે છે.
કોરોના વાયરસ અને કોઈ પણ પ્રકારની આપત્તિનો પ્રતિકાર કરવા માનસિક બળ આવશ્યક છે. તો સૌ પોતાની જવાબદારી સમજી સાવચેતીના પગલાં ભરે અને અફવાઓ અને ભય ના ફેલાવે તથા કરુણાની ભાવના વિકસાવે એવી પ્રાર્થના.