ઘણીવાર ખૂબ જ મહેનત કર્યા બાદ પણ વ્યક્તિને ફળ મળતું નથી. જેના કારણે તેના જીવનમાં નિરાશા પ્રસરી જાય છે. જો આપની સાથે પણ આમ બની રહ્યું છે તો આપ રંગબેરંગી ફુલોના કેટલાક ચમત્કારિક પ્રયોગ કરીને તમારી ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો. અહીં જાણીએ કયા ફૂલનો ઉપયોગ કરીને કઇ ઇચ્છા પૂર્ણ કરી શકાય છે.
ગુલાબનું ફૂલ
ગુલાબનું ફૂલ વ્યક્તિના સૂર્ય અને મંગળની શુભતાને વધારવાનું કામ કરે છે. 7 લાલ ગુલાબના ફૂલ હનુમાનજીને અર્પણ કરવાથી મનની ઇચ્છા પૂર્ણ થશે.
- 11 લાલ ગુલાબના ફૂલ માં દૂર્ગાને અર્પણ કરવાથી મનોવાંચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.
- 5 લાલ ગુલાબના ફૂલ લક્ષ્મી નારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.
- 11 લાલ ગુલાબના ફૂલ માં કાળીને અર્પણ કરવાથી શત્રુઓથી રક્ષણ મળે છે.
ગલગોટાના ફૂલ
ગલગોટાના ફૂલ ગુરુ ગ્રહને શુભ બનાવી સકારાત્મકતા વધારે છે.
-એક ગલગોટાના ફૂલ ગંગાજળમાં ઘસીને માથા પર રોજ લગાવો. એમ કરવાથી બીજા પર તમારો સારો પ્રભાવ પડે છે.
- 2 ગલગોટાના ફૂલની માળા લક્ષ્મીનારાયણજીને પહેરાવો. એમ કરવાથી આપના વૈવાહિક જીવનના વિવાદ ખતમ થઇ જાય છે.
- એક ગલગોટાના ફૂલની માળા તમારા પિતૃઓેને અમાસે જરૂર પહેરાવી જોઇએ. એમ કરવાથી આપના પિતૃઓ તમારા પર પ્રસન્ન થશે.
સફેદ આકડાના ફૂલ
સફેદ આકડાના ફૂલથી ઉત્તર સ્વાસ્થ્યનું વરદાન મળે છે.
- સવારના સમયે 11 સફેદ આકડાના ફૂલ સોમવારના દિવસે શિવલિંગ પર અર્પણ કરવા જોઇએ.
- 5 આકડાના ફૂલ ભગવાન ગણપતિને મોદક સાથે અર્પણ કરવાથી બુધ ગ્રહ શાંત થાય છે.
- 11 આકડાના ફૂલ હનુમાનજીને અર્પણ કરવાથી માનસિક તણાવ ખતમ થશે અને શત્રુ વિરોધી શાંત થશે.
જાસૂદના ફૂલ
- 27 જાસૂદના ફૂલની માળા માતા દૂર્ગાને અર્પણ કરવાતી ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.
- 7 જાસૂ દના ફૂલ માતા કાલીને અર્પણ કરવાથી શત્રુનું દમન થાય છે.
- 11 જાસૂદના ફૂલ હનુમાનજીને ચઢાવવાથી તેમની કૃપા મળવાની સાથે માંગલિક દોષ દૂર થાય છે.
ચંપાના ફૂલ
- ચંપાના ફૂલ શનિ, રાહુ, કેતુને શુભ બનાવે છે.
- ઘરની પૂર્વ દિશામાં ચંપાના ફૂલ રાખવાથી માન સન્માનની પ્રાપ્તિ થાય છે.
- ઘરમાં ચંપાના ફૂલ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
કરેણના ફૂલ
- સફેદ, પીળા અને લાલ કરેણના ફૂલ ચંદ્ર, શુક્ર, બુધને શુભ બનાવે છે.
- કરેણના ફૂલે લાલ ચંદનમાં ઘસીને માથા અથવા ગળા પર લગાવવાથી આપની અંદર આકર્ષણ શક્તિનો વિકાસ થાય છે.
- 27 લાક કરેણના ફૂલની માળા શુક્લપક્ષની અષ્ઠમીએ માં દૂર્ગા અથવા માં કાલીને પહેરાવવાથી કૌટુંબિક કલેશ ખતમ થઇ જાય છે.
- કરેણના ફૂલ રોજ આપના ઇસ્ટ દેવતાને ચઢાવવાથી તેમની કૃપા આપની સાથે આપના પરિવારને મળતી રહે છે.
ગુલાબ અને ગલગોટાના પાન કેવી રીતે કરશે અશુભતા દૂર
ગુલાબ અને ગલગોટાના પાનને કાચના એક વાસણમાં જળ ભરીને રાખવા જોઇએ. આ વાસણને ઘરના મુખ્યદ્વારની આસપાસ રાખવા. એમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરશે નહીં.