દિગવંત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન બતાવવાના નરેન્દ્ર મોદીના નિવેદન બાદ કોંગ્રેસ અને બીજેપી સામસામે આવી ગયા છે. બંને દળ એક બીજાને ઘેરવાનો પ્રયાસમાં લાગી રહ્યા છે. હવે તેમા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ તરફથી નિવેદન આવ્યું છે. અહેમત પટેલે આરોપ લગાવ્યો કે બીજેપીએ 1989માં એ વિશ્વનાથ પ્રતાપ સિંહ સરકારને સમર્થન આપ્યું હતું, જેણે રાજીવ ગાંધીને અતિરિક્ત સુરક્ષા આપવાથી ઇનકાર કર્યો હતો.
દિગવંત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન બતાવવાના નરેન્દ્ર મોદીના નિવેદન બાદ કોંગ્રેસ અને બીજેપી સામસામે આવી ગયા છે. બંને દળ એક બીજાને ઘેરવાનો પ્રયાસમાં લાગી રહ્યા છે. હવે તેમા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ તરફથી નિવેદન આવ્યું છે. અહેમત પટેલે આરોપ લગાવ્યો કે બીજેપીએ 1989માં એ વિશ્વનાથ પ્રતાપ સિંહ સરકારને સમર્થન આપ્યું હતું, જેણે રાજીવ ગાંધીને અતિરિક્ત સુરક્ષા આપવાથી ઇનકાર કર્યો હતો. અહેમદ પટેલે પીએમ મોદીના નિવેદનને કાયરતાની નિશાની બતાવી હતી. બીજેપીએ પણ વળતો હુમલો કરતા કહ્યું કે હમણા સુધી કોંગ્રેસ રાજીવ ગાંધીની હત્યા માટે ડીએમકેને જવાબદાર ઠેરવતી હતી, હવે કોંગ્રેસને બીજેપીની ભૂમિકા નજર આવી રહી છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર-1 ગણાવ્યા હતા.
અહેમદ પટેલે ટ્વિટ કર્યું કે, 'શહીદ વડાપ્રધાન વિશે ખરાબ બોલવુ કાયરતાની નિશાની છે. પરંતુ તેમની હત્યા માટે જવાબદાર કોણ છે? બીજેપી સમર્થિત વી.પી.સિંહ સરકારે તેમને વધારે સુરક્ષા આપવાનો ઇનકાર કરી દીધો તથા તેમને એક પીએસઓ આપ્યો, એ પણ ત્યારે જ્યારે ગુપ્ત માહિતી ઉપલબ્ધ હતી અને સુરક્ષાની સતત અપીલ કરવામાં આવી હતી. વધુ ટ્વિટ કરતા કહ્યું, રાજીવ ગાંધીએ તેમની નફરતને કારણે જિંદગી ગુમાવી અને એમણે આધારહીન આરોપોનો સામનો કરવા માટે આપણી વચ્ચે નથી. જે તેમના પર લગાવામાં આવી રહ્યા છે'.
Abusing a martyred Prime Minster is the sign of ultimate cowardice
But who is responsible for his assassination ?
The BJP backed VP Singh govt refused to provide him with additional security & left him with one PSO despite credible intelligence inputs and repeated requests
નાણામંત્રી અરુણ જેટલીએ આરોપોનો જવાબ આપતા ટ્વિટ કરી કહ્યું, 'ડિસેમ્બર 1990થી મે 1991 સુધી, જે સમયે રાજીવ ગાંધીની હત્યા થઇ એ દરમિયાન કોંગ્રેસ કેન્દ્રમાં ચંદ્રશેખર સરકારને સમર્થન કરી રહી હતી.'
પીએમ મોદીએ ઝારખંડમાં એક ચૂંટણી રેલીમાં બોફોર્સ ગોટાળા તરફ ઇશારો કરી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ લીધા વિના તેમના પર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આપના(રાહુલ ગાંધી) પિતાજીને આપના રાજદરબારીઓએ વાજતે-ગાજતે મિસ્ટર ક્લીન બનાવી દીધા હતા. પરંતુ દેખતા જ દેખતા ભ્રષ્ટાચારી નંબર વન રૂપે તેમનો જીવનકાળ સમાપ્ત થઇ ગયો. નામદાર આ અહંકાર તમને ખાઇ ગયો. આ દેશ ભૂલો માફ કરે છે, પરંતુ વિશ્વાસઘાત ક્યારેય માફ કરતો નથી.
પીએમ મોદીના નિવેદન પર રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું, મોદીજી, લડાઇ પૂર્ણ થઇ ચૂકી છે, તમારા કર્મ તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. પોતાના વિશ તમારી આંતરિક વિચારસરણીને મારા પિતા પર થોપવી પણ તમને બચાવી નહી શકે. સપ્રેમ અને ઝપ્પી સાથે- રાહુલ.