AAP-BTP વચ્ચે ગઠબંધન લઈને મનસુખ વસાવાએ આપ્યું મોટું નિવેદન કહ્યું AAP સાથે BTPનું ગઠબંધન મુંગેરીલાલનું હસીન સપના જેવું છે
AAP અને BTP વચ્ચે ગઠબંધનનો મામલો
સાંસદ મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા
AAP-BTP બંને પાર્ટી જુઠ્ઠા લોકોની પાર્ટી છે-મનસુખ વસાવા
ગઠબંધનને લઇ મનસુખ વસાવાનું નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય શતરંજની બિછાવવામાં આવી રહી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ને કોંગ્રેસની ઉદાસીનતા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના રૂપમાં એક નવો મિત્ર મળ્યો છે. BTP એ AAP સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે, જેની જાહેરાત બાદ 1લી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ પર ભરૂચના આદિવાસી મહાસંમેલનમાં કરશે.ત્યારે સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
AAP સાથે BTPનુ ગઠબંધન એ મુગેરીલાલ કે હસીન સપના જેવું છે- મનસુખ વસાવા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસથી લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી સુધી આદિવાસી સમાજની વોટબેંક પર નજર છે. 27 બેઠકો પર 15 ટકા આદિવાસી મતોની અસર સાથે, આમ આદમી પાર્ટીએ BTP સાથે જોડાણ કરશે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ AAP પાર્ટી અને BTP વચ્ચે ગઠબંધનનો મામલો પોતાની પ્રતિક્રયા આપતાં જણાવ્યું હતું કે, AAP અને BTP બંને પાર્ટી જુઠ્ઠા લોકોની પાર્ટી છે. AAPને બધા જાણે છે મફત આપી મત માંગે છે. જ્યારે BTP પાર્ટી પણ રંગ બદલતી પાર્ટી છે. AAP સાથે BTPનું ગઠબંધન મુંગેરીલાલ કે હસીન સપના જેવું છે.
આપ નેતા ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવીએ BTPના નેતા છોટુ વસાવા સાથે બેઠક કરી
ઉલ્લેખીય છે કે, તાજેતરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને આપ નેતા ઈસુદાન ગઢવીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુ વસાવા સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ગોપાલ ઈટાલીયાએ છોટુ વસાવાને આપમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું છે. આ બેઠક બાદ એવુ કહેવામાં આવ્યું હતું કે, 1લી મેના રોજ આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન કરશે