બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / AAP MLAs Atishi and Saurabh Bharadwaj take oath as Delhi ministers

દિલ્હી કેબિનેટ / કેજરીવાલ સિસોદીયા સામે કાવતરું કરી રહ્યાં છે? ભાજપ સાંસદ તિવારીના આરોપને આ તસવીરોથી મળી 'હવા'

Hiralal

Last Updated: 05:38 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી ભાજપ સાંસદ મનોજ તિવારીએ આમ આદમી પર વળતો વાર કરતાં જણાવ્યું કે કેજરીવાલ સિસોદીયાને હટાવવાનું કાવતરુ કરી રહ્યાં છે.

  • દિલ્હી ભાજપ સાંસદનો મોટો આરોપ
  • કહ્યું કેજરીવાલ સિસોદીયા સામે કરી રહ્યાં છે કાવતરુ
  • સિસોદીયા જે જેલમાં છે તે જેલ દિલ્હી સરકારના અંડરમાં 

દિલ્હી એક્સાઇઝ મામલે તિહાર જેલમાં બંધ પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સુરક્ષા પર આમ આદમી પાર્ટી (આપ)એ સોમવારે સવાલ ઉઠાવ્યા હતા જેના પર ભાજપે આપ પર વળતો પ્રહાર કર્યો છે. આપ પાર્ટીએ તિહારમાં સિસોદિયાની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી તો ભાજપ સાંસદ મનોજ તિવારીએ કેજરીવાલ પર તેમની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.

અરવિંદ કેજરીવાલ સિસોદિયા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે
ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું, "દિલ્હીની જેલો દિલ્હી સરકાર હેઠળ આવે છે. જેલની અંદર તેમના પોતાના સાથી મનીષ સિસોદિયાને જાનનું જોખમ કેવી રીતે હોઈ શકે? શું અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે?

મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલના ઘણા રહસ્યો જાણે છે
ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, "શું અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાને રહસ્યો જાહેર કરતા રોકવા માટે તેમની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે? મનિષ સિસોદિયાને ભાજપ તરફથી ખતરો હોવાની છાપ ઊભી કરવામાં આવી રહી છે. હું જેલ અધિકારીઓને અપીલ કરું છું કે મનીષ સિસોદિયાને શક્ય તેટલી શ્રેષ્ઠ સુરક્ષા પૂરી પાડવામાં આવે.

સિસોદીયાની જગ્યાએ આતિશી અને જૈનની જગ્યાએ સૌરભ ભારદ્વાજ બન્યાં મંત્રી
દિલ્હી દારુ કૌભાંડમાં સિસોદીયાએ રાજીનામું આપ્યું હોવાથી તેમને સ્થાને આતિશીએ શિક્ષણ મંત્રી બનાવાયા છે જ્યારે મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સત્યેન્દર જૈનની જગ્યાએ કૈલાશ ભારદ્વાજને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારદ્વાજને આરોગ્ય વિભાગનો હવાલો સોંપાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ