બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / aamir khan film laal singh chaddha boycott trends big trouble

આક્રોશ / આમિર ખાનની ફિલ્મનો રીલીઝ પહેલા જ વિરોધ, શ્રાવણમાં શિવજીનાં અપમાન સાથે જોડ્યુ કનેક્શન

Premal

Last Updated: 12:57 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા રીલીઝ થતાં પહેલા વિવાદોના વમળમાં ફસાઇ રહી છે. જેને 11 ઓગષ્ટે રિલીઝ કરવાની છે. આમિર અને કરીના કપૂરની ફિલ્મને બૉયકૉટ કરવાની માંગ થઇ રહી છે. યુઝર્સ આમિર ખાનના જૂના નિવેદનોથી હજી પણ નારાજ છે.

  • ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા પર ભડકી રહ્યાં છે યુઝર્સ
  • આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મને બોયકૉટ કરવાની થઇ રહી છે માંગ
  • કેટલાંક યુઝર્સ આમિર ખાનના જૂના નિવેદનોથી હજી પણ નારાજ 

લાલ સિંહ ચડ્ઢાને ના જોવાની પ્રશંસકોની અપીલ 

મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન 4 વર્ષના બ્રેક બાદ સિલ્વર સ્ક્રીન પર ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને લઇને વાપસી કરી રહ્યાં છે. પરંતુ આ ફિલ્મ વિવાદોના વમળમાં ફસાઈ શકે તેવી લાગી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. 11 ઓગષ્ટે રિલીઝ થઇ રહેલી લાલ સિંહ ચડ્ઢાને લઇને નેગેટીવ માહોલ આમિર ખાનના પ્રશંસકોનુ દિલ તોડી શકે છે. ટ્વિટર પર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ કરી રહ્યું છે. આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મને ના જોવા માટે જોરશોરથી ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થતાં પહેલા આમિર ખાનની ફિલ્મને લઇને પ્રશંસકો કેમ નારાજ છે, આવો તેનુ કારણ પણ જણાવી દઇએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આખો મામલો આમિર અને કરીના કપૂરના જૂના નિવેદનોનો છે. 

 

યુઝર્સ આક્રોશમાં કેમ છે?

એક યુઝરે લખ્યું, કારણકે તારી પત્નીએ કહ્યું હતુ ભારતમાં રહેવુ સુરક્ષિત નથી. તો તમે કેમ પોતાની ફિલ્મ અહીં રિલીઝ કરી રહ્યાં છો. બીજો યુઝર લખે છે, મારી દરેક માણસ પાસે અપીલ છે કે તેઓ પોતાની મહેનતની કમાણી લાલ સિંહ ચડ્ઢા પર ના ખર્ચે. સમય આવી ગયો છે, આ નેપો કિડ્સ, ડ્રગ્સ લેનારા, માફિયાઓને બોયકૉટ કરવામાં આવે. યુઝરે કહ્યું કે તમે તમારા રૂપિયા કોઈ જરૂરીયાતમંદો પર ખર્ચ કરો. વર્ષો પહેલા આમિરે શિવલિંગ પર દૂધ ચઢાવવવાનુ કારણ વગરનુ જણાવ્યું હતુ. તો કરીનાએ કહ્યું હતુ, અમારી ફિલ્મોને જોશો નહીં. કોઈ ફોર્સ કરતુ નથી. બંને સેલિબ્રિટીઓના આ જૂના નિવેદનોનો હવાલો આપીને લાલ સિંહ ચડ્ઢાને બોયકૉટ કરવાની માંગ થઇ રહી છે. યુઝર્સે આમિર પર હિંદુ સંસ્કૃતિનુ અપમાન કરવુ અને તેને નીચે દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. અમુક લોકોનુ કહેવુ છે કે લાલ સિંહ ચડ્ઢા જોવા કરતા ઓરિનજલ ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પ જોવી સારી છે. 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ