કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવી દીધું છે કે કોરોના વેક્સિનેશન માટે CoWIN portal પર રજિસ્ટ્રેશન માટે હવે આધાર કાર્ડ જરુરી નથી.
કેન્દ્ર સરકારે સુપ્રીમને કહ્યું
કોરોના વેક્સિનેશન રજિસ્ટ્રેશન માટે આધાર જરુરી નથી
આઈડી કાર્ડ વગરના 87 લાખ લોકોને વેક્સિનેટેડ કરાયા
આધાર ન હોય પરંતુ વેક્સિન લેવા માગતા લોકોને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે સુપ્રીમને જાણ કરી છે કે હવેથી કોરોના વેક્સિન લેવા માટે આધાર કાર્ડની કોઈ જરુર નથી એટલે કે બીજા દસ્તાવેજો રજૂ કરીને પણ કોરોના વેક્સિન લઈ શકાશે. કેન્દ્ર સરકારે સુપ્રીમને જાણ કરી છે કે હવેથી કોરોના વેક્સિનેશન માટે CoWIN portal પર રજિસ્ટ્રેશન માટે હવે આધાર કાર્ડ જરુરી નથી.
Aadhaar not mandatory for COVID-19 vaccination, 87 lakh people inoculated without IDs: Centre tells SC
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, વોટર આઈડી, રેશનકાર્ડ રજૂ કરીને કોરોના વેક્સિન લઈ શકાય છે આધાર કાર્ડની જરુર નથી.
અરજદાર સિદ્ધાર્થ શંકર શર્માએ સુપ્રીમમાં કરી હતી રજૂઆત
સિદ્ધાર્થ શંકર શર્મા નામના અરજદારે સુપ્રીમમમાં અરજી કરીને કોરોના વેક્સિનેશન માટે આધાર કાર્ડના ઉપયોગનો વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું આધારની અનિવાર્યતા ખતમ કરી નાખવી જોઈએ. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યાકાંતે અરજદારની આ અરજીની સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે 1 ઓક્ટોબર 2021ના સુપ્રીમના આદેશાનુસાર કેન્દ્રીય હેલ્થ અને ફેમિલી વેલ્ફરે એક એફિડેવિટ દાખલ કરી છે જેમાં જણાવાયું છે કે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે આધારની જરુર નથ અને ઉપર જણાવેલા નવ દસ્તાવેજો રજૂ કરી શકાય છે.
આઈડી કાર્ડ વગરના 87 લાખ લોકોને વેક્સિનેટેડ કરાયા
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એવી પણ જાણ કરી છે કે આઈડી કાર્ડ વગરના 87 લાખ લોકોને વેક્સિનેટેડ કરાયા છે. આધાર કાર્ડ ન હોવાથી મારુ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન ન શક્યું તેવી અરજદારની ફરિયાદનું પણ કેન્દ્રની એફિડેવિટમાં નિકાલ કરી દેવાયો છે. હેલ્થ મિનિસ્ટ્રીએ પ્રિન્સિપલ સેક્રેટરીને એક લેટર લખીને સંબંધિત પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરની સામે પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. આ અરજદાર પાસે આધાર કાર્ડ નહોતું પરંતુ તેની પાસે બીજા માન્ય દસ્તાવેજો હોવા છતાં પણ તેને વેક્સિન આપવામાં નહોતી આવી આ ઘટનામાં પગલાં ભરવાનો મંત્રાલયનો આદેશ છે.