રાધનપુર ખાતે રહેતા ઠાકોર પરિવારે આર્થિક સંકડામણને કારણે આપઘાતનો પ્રયાસ કરતા સમગ્રે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પાટણ જીલ્લાનાં રાધનપુર તાલુકાનાં રેલ્વે સ્ટેશન ખાતે આજે સવારનાં સુમારો ઠાકોર પરિવાર દ્વારા પડતું મુકી સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પરિવારનાં તમામ સભ્યોને 108 મારફતે રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સામુહિક આપઘાતના પ્રયાસનું કારણ હજુ અકબંધ
રાધનપુર રેલ્વે સ્ટેશન ખાતે ઠાકોર પરિવાર દ્વારા સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. જે અંગેની જાણ પોલીસ તેમજ 108 ને કરતા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પરિવારનાં તમામ સભ્યોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. ત્યારે સામુહિક આપઘાતના પ્રયાસનું કારણ હજુ અકબંધ છે. મળતી માહિતી મુજબ આર્થિક સંકડામણને કારણે પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રેલ્વે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે
રાધનપુરથી કચ્છ તરફ પેસેન્જર ટ્રેન તેમજ માલગાડીની અવર જવર વધુ રહેતી હોય છે. રેલ્વે પોલીસ દ્વારા આવો કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સતર્કતાનાં ભાગ રૂપે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.