છોટાઉદેપુરની જેતપુર બેઠક ઉપર અત્યાર સુધીમાં 4 વખત વિધાનસભા ચૂંટણી યોજાઇ ચૂકી છે, જેમાં ગઈ ટર્મમાં કોંગ્રેસના સુખરામ રાઠવાની જીત થઈ હતી
છોટાઉદેપુરની જેતપુર બેઠક ઉપર કોંગ્રેસના સુખરામ રાઠવાની હાર
જેતપુર બેઠક ઉપર ભાજપના જયંતી રાઠવાની જીત થઈ
અહીં અત્યાર સુધીમાં 4 વખત વિધાનસભા ચૂંટણી યોજાઇ ચૂકી
ગુજરાતના છોટાઉદેપુરની જેતપુર બેઠક ઉપર કોંગ્રેસના સુખરામ રાઠવાની હાર થઈ છે. આ તરફ ભાજપના જયંતી રાઠવાની જીત થઈ છે. આ બેઠકના ચૂંટણી ઇતિહાસ પર નજર કરીએ તો અહીં અત્યાર સુધીમાં 4 વખત વિધાનસભા ચૂંટણી યોજાઇ ચૂકી છે. જેમાં સૌ પ્રથમ વર્ષ 1967માં SWAના ઉમેદવાર એમ. એસ તડવીએ 3342 મતોના માર્જીન સાથે કોંગ્રેસના ઉમેદવાર કે. જી નાયકને હરાવ્યા હતા.
આ તરફ વર્ષ 1972માં આ બેઠક પર NCOના કોળી એમ. છોટુભાઇ રાઠવાએ કોંગ્રેસના ઉમેદવાર માણેકભાઇ તડવીને 10,914 મતોના માર્જીનથી મ્હાત આપી હતી. વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર જયંતિ રાઠવાએ અહીં સત્તા પોતાના હાથમાં લીધી હતી. જોકે, 2017માં કોંગ્રેસ ભાજપ પર ભારે પડ્યું અને કોંગી નેતા સુખરામ રાઠવાએ 3052 મતોના માર્જીનથી વિજયી બન્યા હતા.
કેવું છે આ બેઠક પર મતદારોનું ગણિત?
પાવી જેતપુર બેઠક પર આદિવાસીઓનું વર્ચસ્વ છે. તેથી આ મતદારો અહીં યોજાતી દરેક ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થાય છે. આ બેઠક પર મતદારોની વાત કરીએ તો અંદાજીત કુલ 2,65,752 મતદારો નોંધાયા છે. જેમાં 1,36,720 પુરૂષ મતદારો છે અને 1,29,032 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
ચૂંટણી વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
સુખરામ રાઠવા
કોંગ્રેસ
2012
જયંતિભાઇ રાઠવા
ભાજપ
1972
છોટુભાઇ રાઠવા
એનસીઓ
1967
એમ. એસ તડવી
SWA
નોંધનીય છે કે, થોડાક સમય પહેલા કોંગ્રેસના MLA પદ પરથી મોહન રાઠવાએ રાજીનામું આપતા હવે વિપક્ષ નેતા સુખરામ રાઠવા પણ રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઇ હતી. મોહનસિંહ રાઠવા અને સુખરામ રાઠવા વચ્ચે ઘનિષ્ઠ પારિવારિક સબંધો છે. ત્યારે વિપક્ષ નેતા સુખરામ રાઠવા રાજીનામાની અટકળો મુદ્દે સુખરામ રાઠવાએ VTV પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ. મને અગાઉ પણ ભાજપે લાલચ આપી હતી. મારા રાજીનામાની વાત ઉપજાવી કાઢેલી છે. ટિકિટની નારાજગી હોઇ શકે છે પરંતુ ઘરની અંદરની વાત છે. ભાજપે મારો કોઈ સંપર્ક નથી કર્યો. ભાજપ મારો સંપર્ક કરશે પણ નહીં.'