વલસાડના અંતરિયાળ ખડકી ગામમાં પ્રાથમિક શાળાની શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર માર્યોનો આક્ષેપ, ગ્રામજનોએ સ્કૂલની તાળાબંધી કરી
શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર્યો માર
40 વિદ્યાર્થીને માર મારવાનો આક્ષેપ
ગ્રામજનોએ સ્કૂલની તાળાબંધી કરી
વલસાડના અંતરિયાળ ખડકી ગામમાં પ્રાથમિક શાળાની શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર માર્યો છે. જેથી વાલીઓએ શાળામાં તાળાબંધી કરી છે. આ દરમિયાન એક વિદ્યાર્થીના વાલીએ શિક્ષિકા પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, શાળાના મુખ્ય શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર માર્યો છે.
શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર્યો માર
આ તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થનામાં પહોંચવામાં 10 મિનિટ મોડું થયું હતું. જેથી શિક્ષિકાએ તમામ વિદ્યાર્થીઓને માર માર્યો છે. વધુમાં વાલીએ આક્ષેપ કર્યો કે, લાકડી તૂટવા સુધી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો છે. આક્ષેપ કરવા સાથે જ વાલીએ મુખ્ય શિક્ષિકાની બદલી કરવા માગ કરી છે. ઘટનાની જાણ થતાં જિલ્લા શિક્ષણ વિભાગ અને ધરમપુર પોલીસે તપાસ શરૂ કરી છે.
40 વિદ્યાર્થીને માર મારવાનો આક્ષેપ
વલસાડના ધરમપુરમાં પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ છે. અંતરિયાળ ખડકી ગામમાં પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે સમગ્ર મામલો કંઈક આ રીતનો છે કે, શાળાના મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષિકાએ વિદ્યાર્થીઓ માર મારવાનું કારણ એવું જાણાવા મળ્યું છે કે, પ્રાર્થનામાં વિદ્યાર્થી થોડા લેટ પહોંચ્યા હતા જેના માટે તેણે 40 બાળકોને માર માર્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીના વાલીનું નિવેદન
વાલીઓએ જણાવ્યું છ કે, અમારો છોકરાઓને શાળામાં આવતા-આવતા 10 મિનિટ લેટ થયું તેના બદલામાં શાળાના આચાર્ય શિક્ષિકાએ 40થી45 બાળકોને માર માર્યો છે. તેમણે કહ્યું કે, આવી ઘટના બનવા છતા અમને એ દિવસે જાણ થઈ ન હતી. જ્યાર બાદ બીજા દિવસે જાણ થતાં જે છોકરાઓને વધુ માર મારેલો તેમને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે બાદ પોલીસ ફરિયાદ કરી છે. વાલીએ ઉમેર્યું કે, આ શાળામાંથી આ શિક્ષિકાની બદલી કરી કાર્યવાહી કરવામાં આવે અને અન્ય નવા શિક્ષક ન આવે ત્યાં સુધી આ શાળાની તાળાબંધી રહેશે.