નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઈ, અલ્પેશ મેવાડા, મૃત્યુ માટે આ ચાર જવાબદાર હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ
વડોદરાના ગુમ થયેલા પરિવારના ઘરેથી મળી ચિઠ્ઠી
પોલીસે ઘરની તપાસ કરતા ચિઠ્ઠી મળી આવી
ચિઠ્ઠીમાં 4 વ્યક્તિના નામનો ઉલ્લેખ
આપણી આસપાસ ક્યારેક એવી ઘટના બને છે, જે આપણને વિચારતા કરી મૂકે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. મૂળ ડભોઈનો પરંતુ વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે રહેતો જોશી પરિવાર અચાકન ગુમ થતાં અનેક પ્રકારના તર્ક-કુતર્ક વહેતા થયા છે.
4 લોકો થયા લાપતા
આપણી આસપાસ ક્યારેક એવી ઘટના બને છે જે આપણને વિચારતા કરી મૂકે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. મૂળ ડભોઈનો પરંતુ વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે રહેતો જોશી પરિવાર અચાનક ગુમ થતાં અનેક પ્રકારના તર્ક-કુતર્ક વહેતા થયા હતા. કારણ કે, ગુમ થયેલા જોષી પરિવારના છેલ્લા 8 દિવસથી કોઈ વાવડ નથી. ટીવી સ્ક્રીન પર આ સીસીસીવી ફૂટેજમાં આપ જોઈ શકો છો કે આઠ દિવસ પહેલા આ પરિવારના સભ્યો ઘર છોડીને ક્યાંક જઈ રહ્યા છે. હાથમાં કોઈ સામાન નથી. બસ માત્ર પહેરેલા કપડે ક્યાંક જઈ રહ્યા છે. ત્યારથી તેમની કોઈ ભાળ મળી નથી. ગુમ પરિવારના મોભી રાહુલભાઈ જોશી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ કોઈ કારણવશ પરિવારના પત્ની નીતા, પુત્ર પાર્થ,અને પુત્રી પરી મળી 4 લોકો થયા લાપતા થઈ ગયા છે. .
પરિવારે ફ્લેટના સભ્યો પાસેથી ઉછીના રૂપિયા લીધા
જો કે, આ બાબતે ગુમ થયેલા રાહુલભાઈના ભાઈ પ્રણવભાઈ જોશીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોતાના ભાઈના પરિવારને શોધી આપવા સોશિયલ મીડિયા ઉપર અપીલ પણ કરી હતી. આ ઘટનામાં પોલીસે ગુમ થયાની ફરિયાદ લઇ પરિવારની શોધખોળ હાથ ધરી હતી. સૌથી પહેલા પોલીસે વડોદરાના કાન્હા હાઈટ્સમાં તપાસ કરી હતી. જ્યાંથી પાડોશીઓની પૂછ-પરછમાં પોલીસને એ જાણવા મળ્યું કે, ગુમ થયેલા પરિવારે ફ્લેટના સભ્યો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા.
તપાસ દરમિયાન પરિવારના ઘરેથી ચિઠ્ઠી મળી
આ ઉપરાંત પોલીસને તપાસ દરમિયાન પરિવારના ઘરેથી ચિઠ્ઠી મળી આવી હતી. એ ચિટ્ઠીમાં નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઈ, અલ્પેશ અને અલ્પેશ મેવાડા એમ ચાર વ્યક્તિના નામનો નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. સાથે જ પરિવારના મૃત્યુ માટે આ ચાર લોકો જવાબદાર હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમ હવે આ ચાર સભ્યનો પરિવાર કેમ ગુમ છે, ક્યાં ગયો છે તેમને ગુમ થવા પાછળ કેવી મજબૂરી હતી તે તમામ કારણો પોલીસ તપાસ બાદ સામે આવશે. પરંતુ જો તેમના ગુમ થવા પાછળ નાણાંભીડ અને કોઈનું દબાણ કારણભૂત હોય તો તે સભ્ય સમાજ માટે જરૂર ચિંતાનો વિષય કહેવાશે.