પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના એકાઉન્ટમાંથી ભાજપને દાન
વિપક્ષના પૂર્વ નેતા અને પરેશ ધાનાણીના એકાઉન્ટમાંથી ગત રોજ રાત્રે 2 વાગ્યે 5 રૂપિયાનું દાન ભારતીય જનતા પાર્ટીને કરાયું હોવાનો મેસેજ મળતાં તેઓ ચોંકી ઉઠ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, પોતાના એકાઉન્ટમાંથી ભાજપના ખાતામાં પૈસા કેવી રીતે ગયા તે અંગે ધાનાણી મુંઝાયા છે. મહત્વનું છે કે, આ અગાઉ પણ પેજપ્રમુખ બનવા માટે પરેશ ધાનાણીને ભાજપ તરફથી ફોન ગયો હતો.
PM મોદીએ તાજેતરમાં પેજ સમિતિના પ્રમુખોને માઈક્રો ડોનેશન અંગે જણાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પીએમ મોદીએ પેજ સમિતિના પ્રમુખોને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દર વર્ષે એક માઈક્રો ડોનેશન કાર્યક્રમનું આયોજન કરે છે. હાલમાં પણ માઈક્રો ડોનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, નમો એપ પર જઈને માઈક્રો ડોનેશન એટેલે સુક્ષ્મ દાન જેમ કે, 56 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા દાન કરી શકાય છે. જેનું એક અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ હંમેશા સંગઠનની શક્તિને મહત્વ આપે છે. હું તામમ પેજ સમિતિના પ્રમુખોને આગ્રહ કરું છું. આ માઈક્રો ડોનેશનના કામમાં આપના પેજ જેટલા નામો છે. તેમની સાથે લઈને આગળ વધો પછી ભલેને તેઓએ 5 રૂપિયાનું ડોનેશન કર્યું હોય