બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A meeting of the Somnath Trust will be held at Gandhinagar today under the chairmanship of PM Modi

જય સોમનાથ / PM મોદીનું ગુજરાત આગમન, સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે, આ મુદ્દે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

ParthB

Last Updated: 08:17 AM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમનાથ ટ્રસ્ટની 121મી ટ્રસ્ટી મંડળની બેઠકમાં PM મોદી સહિત અન્ય કેટલાક મહાનુભાવો આ બેઠકમાં સામેલ થશે.

 

  • આજે PM મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે  
  • PM મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ પ્રત્યક્ષ બેઠક
  • સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની જગ્યા ખાલી છે

આજ રોજ ગાંધીનગર ખાતે સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠક મળવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સહિત વર્તમાન ટ્રસ્ટીઓ બેઠકમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થતાં તેમની જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી.

સોમનાથ ટ્રસ્ટની છેલ્લા એક વર્ષથી વર્ચ્યુઅલ બેઠક યોજાતી હતી

પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવા પામી ન હતી. પરંતુ આજે ગાંધીનગર ખાતે PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળવા જઇ રહી છે. જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરીની આખરી મહોર મારવામાં આવે તેવી શક્યતા પણ છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટની છેલ્લા એક વર્ષથી વર્ચ્યુઅલ બેઠક યોજાતી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, સોમનાથ મંદરિના ટ્રસ્ટી પી.કે.લહેરી, જે.ડી.પરમાર, હર્ષવર્ધન દિવેટિયા હાજર રહેશે

સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની જગ્યા ખાલી છે

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કરવાની શક્યતા રહેલી છે તેમજ મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં ભક્તો માટે કોરિડોર રૂપ નવનિર્મિત કામોને પણ ચોક્કસ મંજૂરી મળી શકે છે. રામ વાડી વિસ્તારમાં બે વ્યાપારિક સંકુલનું નિર્માણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવાનું આયોજન પણ છે. જેને પણ ટ્રસ્ટી મંડળની બેઠકમાં સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવે તેવી શક્યતાઓ છે. તેમજ સોમનાથ ટ્રસ્ટની ધાર્મિક પરંપરા અનુસાર કોઈ વ્યક્તિ ટ્રસ્ટી બનવાને લાયક થશે. તો તેની નિમણૂક થવાની પણ પૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ