ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પેપર પૂર્ણ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થવા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ધોરણ 10ના હિન્દીના પેપરના જવાબો ફરતા થવાનો મામલો
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહનુ નિવેદન
પેપર ફૂટવાની વાત અયોગ્ય, પેપર ફૂટ્યું જ નથીઃ એ.જે.શાહ
ગુજરાત માધ્યમિક બોર્ડના ધોરણ 10ના હિન્દીના પેપરના જવાબો ફરતા થવાનો મામલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ.જે.શાહે કહ્યું કે પેપર ફૂટ્યું નથી એ પહેલી હકીકત છે. અમે સાઇબર ક્રાઇમ પાસે તપાસ કરાવીશું. આ સરકાર અને તંત્રને બદનામ કરવાનો પ્રયાસ હોઇ શકે છે.
સવાલ 1 - શું ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું હિન્દીનું પેપર ફૂટ્યું છે ?
એ.જે.શાહ કહ્યું કે, 2900 બિલ્ડીંગોમાં પરીક્ષા લેવાઈ રહી હતી. પરીક્ષાનું પેપર વર્ગખંડ સુધી સુરક્ષિત પહોંચે એવી વ્યવસ્થા છે. પેપર ફૂટવાની બાબત અયોગ્ય છે, પેપર ફૂટ્યું જ નથી. 13 દિવસથી પેપર શાંત માહોલમાં લેવાઈ રહી હતી. વિદ્યાર્થીના 9.45 વાગ્યે વર્ગખંડમાં પ્રવેશ બાદ કોઈને બહાર જવા દેવાતા નથી. 10 વાગ્યે વિદ્યાર્થીના હાથમાં પેપર આવી જાય છે. 12:45 વાગ્યાનો બનાવ હોવાની બાબત સામે આવી રહી છે. આ અંગેની 1 વાગ્યે મને જાણ થઇ છે. પરીક્ષા શરૂ થવા પહેલા કોઈ બાબત સામે આવી નથી. સાડા નવ પહેલા કંઇ બન્યું હોય તેવો કોઈ બનાવ બન્યો નથી.
સવાલ 2 - પરીક્ષાનો સમય પૂર્ણ થયા પહેલા પેપર કેવી રીતે વાયરલ થયું ?
હિન્દીનું પેપર આપનાર 7.39 લાખ વિદ્યાર્થીઓ છે. 2900 બિલ્ડીંગો પૈકી ક્યાંક કોઈ સુપરવાઇઝરની પ્રશ્નપત્ર પરત લેવાની ભૂલ થઇ ગઇ હશે. કોઈ એક વિદ્યાર્થીએ થોડા વહેલા નીકળીને આવું કર્યું હોય શકે. બહાર જઇને કોઇએ પેપર સોલ્વ કર્યું હોય, તેમ છતા પોણા એક વાગ્યે કોઈ સુધી વાત પહોંચાડવી હોય તો કેવી રીતે પહોંચે ? જવાબ પહોંચાડવો હોય તો ક્યાં પહોંચે. તે શક્ય નથી. કારણ કે વિદ્યાર્થી 10.30 પછી પરીક્ષા આપવા આવી શકતો નથી. વર્ગખંડમાં મોબાઇલ નથી લઇ જઇ શકાતા. પેપર વાયરલ થયું હોય તે વાત સાચી નથી.
સવાલ 3 - પેપર વાયરલ થયું તો અન્ય વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે ?
વધુમાં તેમણે કહ્યું કે, ખોટી અફવામાં કે હિંમત ખોવાની જરૂર નથી. વિદ્યાર્થીઓને પરફોરમન્સના આધારે જરૂરી માર્ક આપવામાં આવશે. પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતિ વગર દોષિત ન થાય, ન્યાય પ્રિય વાતાવરણમાં પરીક્ષા લેવાય છે, છેલ્લુ પેપર હતું.
સવાલ 4 - પેપર લઇને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો શુ ઇરાદો ?
એ.જે.શાહે કહ્યું કે, તંત્ર અને સરકારને બદનામ કરવાનો ઇરાદો હોઇ શકે છે. શિક્ષણ તંત્રને બદનામ કરવાનો પ્રયાસ પણ હોઇ શકે છે.
સવાલ 5 - જે કોઈએ આ કૃત્ય કર્યું છે તેની સામે ફરિયાદ નોંધાશે ?
એ.જે.શાહે કહ્યું કે, ઇન્ટરનલ તપાસ બાદ ફરિયાદ આપવામાં આવશે. અમારા એક અધિકારીઓને સાયબરની મદદ લઇને તપાસ કરશે અને આગળની કાર્યવાહી કરશે. આજે અધિકારીે તપાસ સોંપી દેવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પણ ચર્ચા કરીશું.
સવાલ 6 - તો કંટ્રોલ રૂમની શું કામગીરી ?
અમારો કટ્રોલ રૂમ કયા ક્લાસ રૂમમાં પેપર જાય છે તે બતાવે છે. તમામ પેપર સુરક્ષિત વર્ગખંડ સુધી પહોંચે છે.
સવાલ 7 - સુપર વાઇઝરની ભૂલ હશે તો કોઇ વિદ્યાર્થીને ફાયદો થયો હશે ?
એ.જે.શાહે કહ્યું કે, કોઈ સુપર વાઇઝરની ભૂલ થઇ હશે, તો પણ પોણા 3 કલાક સુધી વિદ્યાર્થીઓએ પેપર લખી લીધુ છે. આ પરીક્ષા હિન્દીનું પેપર છે. કોઈ સરકારી ભરતી પરીક્ષા નથી એટલે બહુ મોટો ફાયદો થઇ જાય એવું પણ નથી. તેમ છતા પેપર ફૂટવાના અમારી પાસે કોઈ પુરાવો નથી.