હજારો વર્ષો સુધી શાસન કર્યા પછી પણ લોકો આજે એ ચોલ વંશ વિશે વધુ જાણતા નથી. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ચોલ વંશનો ઇતિહાસ શું હતો.
ચોલ વંશે હજારો વર્ષો સુધી શાસન કર્યું છે
એક સમયે 1500 વર્ષ સુધી શાસન કરનાર એક રાજવંશ બની ગયો હતો.
ચોલ વંશનો અંત કેવી રીતે થયો?
ડિરેક્ટર મણિરત્નમની નવી ફિલ્મ પોન્નીયન સેલ્વન 1 આ શુક્રવારે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. જણાવી દઈએ કે આ ફિલ્મને Ponniyin Selvan (The Son Of Ponni) નામની લોકપ્રિય નવલકથાના આધારે બનાવવામાં આવી છે. તમિલ રાઇટર કલ્કીએ આ ઐતિહાસિક ડ્રામા લખ્યું છે અને તેમાં ચોલ સામ્રાજ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ચોલ સામ્રાજ્ય વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજવંશ છે એવું કહેવામાં આવી રહ્યું છે. હજારો વર્ષો સુધી શાસન કર્યા પછી પણ લોકો આજે એ ચોલ વંશ વિશે વધુ જાણતા નથી. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ચોલ વંશનો ઇતિહાસ શું હતો.
લોકો એ હકીકતથી અજાણ છે કે ભારતના દક્ષિણ હિસ્સામાં શાસન કરનાર પહેલો રાજવંશ ચોલ રાજવંશ હતો. એમને 3જી સદી BCE સુધીમાં તેનું રાજ શાસન સ્થાપિત કર્યું હતું. જો સમ્રાટ અશોકના પત્રલેખો વિશે વધુ જાણવામાં આવે તો ચોલ વંશની સ્થાપનાના પુરાવાઓ તેમાં મળી રહેશે. ઈતિહાસમાં એવા પુરાવા છે કે સમ્રાટ અશોકના મૌર્ય સામ્રાજ્ય કરતાં પણ વધુ ચોલ વંશનો ધ્વજ લહેરાયો હતો. આ સાથે જ ચોલ વંશ વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે એમને 1279 CE સુધી ભારત પર શાસન કર્યું હતું. આ રીતે તે 1500 વર્ષ સુધી શાસન કરનાર એક રાજવંશ બની ગયો હતો.
ચોલ સામ્રાજ્ય કેટલું મોટું હતું?
મધ્યકાલીન યુગમાં ચોલ વંશે સત્તા જાળવી રાખવા અને વિકાસ કરવાનું શરૂ કરી દીધું હતું. એ વંશના શરૂઆતી રાજાઓએ કોઈને કોઈ રીતે તેમની સત્તા બનાવી રખવાઅને આવનાર વંશને રાજારાજા ચોલ અને રાજેન્દ્ર ચોલાએ સામ્રાજ્યનો વિસ્તાર દેવાનું શરૂ કર્યું હતું. ટૂંક સમયમાં જ ચોલ વંશ તમિલ ક્ષેત્ર તરફ વિસ્તાર વધારવાની સાથે દક્ષિણ પૂર્વમાં સ્થિત કલિંગને પણ તેના કબજે કરી લીધું હતું. જણાવી દઈએ કે આ રાજવંશ મુખ્યત્વે કાવેરી નદીની ઘાટીમાં સ્થિત હતું. આ નદી કર્ણાટક, તમિલનાડુ અને દક્ષિણ ડેક્કન ઉચ્ચપ્રદેશ સુધી વહે છે. એ સમયે ચોલ વંશે સમુદ્ર તેમજ જમીન પર વિજય મેળવ્યો હતો અને સાથે જ ચોલ વંશે શ્રીલંકા અને માલદીવમાં પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો.
ચોલ વંશનો અંત કેવી રીતે થયો?
ઇ.સ. 11ના મધ્યભાગથી ચોલ સામ્રાજ્યનું પતન શરૂ થયું હતું. એ સમયે પંડ્યા વંશનો ઉદય થઈ રહ્યો હતો અને તેઓ ચોલ વિસ્તારો પર કબજો કરી રહ્યા હતા. 1150 અને 1279 ની વચ્ચે પંડ્યા વંશે તેમના વિસ્તારોમાં સ્વતંત્રતાની માંગ ઉભી કરી હતી અને ચોલ વંશ પર હુમલો પણ શરૂ કરી દીધો હતો. આ 1279 સુધી ચાલ્યું, એ સમયે ચોલ સમ્રાટ રાજેન્દ્ર તૃતીય એમની સામે હારી ગયા અને એ સાથે ચોલ વંશનો અંત થયો હતો.