યોગી સરકારના નેતૃત્વમાં આ વખતે અયોધ્યા દીપોત્સવ ભવ્ય થવા જઈ રહ્યો છે. કારણ કે આ વખતે વડાપ્રધાન મોદી પણ અયોધ્યામાં હાજર રહેશે. દીપોત્સવ પર શ્રી રામજન્મભૂમિ અને ભગવાન રામલલાની જન્મભૂમિ આ વખતે દીપોત્સવને લઈને અદભૂત સૌંદર્યની છાયા ફેલાશે. દીપોત્સવ પર શ્રી રામની જન્મભૂમિ પર ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. દેશીની સાથે વિદેશી ફૂલોની સજાવટ કરવામાં આવી છે.
બનશે વર્લ્ડ રેકોર્ડ
આ વખતે રામની પૌંડી દીપોત્સવના વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર છે. જ્યાં 36 થી વધુ ઘાટીયો પર નવા રેકોર્ડ બનાવવા માટે લગભગ 17 લાખ દિવડા તૈયાર કરવામાં આવ્યા છે. જે ફૂલોનો ઉપયોગ રામ મંદિરની સજાવટ, ફૂલોથી ગેટ બનાવવા અને રંગોળીમાં પણ કરવામાં આવશે. સ્વયંસેવકોએ જણાવ્યું કે આ અત્યાર સુધીનો પ્રથમ ભવ્ય દીપોત્સવ છે. 22000 થી વધુ સ્વયંસેવક ઘાટોં પર દીવાઓની અંતિમ ડિઝાઇન અને પ્લેસમેન્ટ માટે તૈયારી કરી રહ્યા છે. જે ફૂલોનો ઉપયોગ રામ મંદિરની સજાવટ, ફૂલોથી ગેટ બનાવવા અને રંગોળીમાં પણ કરવામાં આવશે.
Today, laser show organised in Ayodhya as part of the Deepotsav celebration, ahead of the Diwali festival. Jai Siya Ram. pic.twitter.com/CSatlzCIVX
ડેકોરેશન માટે બહારથી કારીગરો બોલાવ્યા
ડેકોરેશન માટે બહારથી આવેલા કારીગરો સતત કામ કરી રહ્યા છે, જેમાં મથુરા, સીતાપુર વગેરે જગ્યાએથી ખાસ કારીગરોની ટીમો બોલાવવામાં આવી છે. આ ફૂલના ડેકોરેશનની જવાબદારી લેનાર બાલકૃષ્ણ સૈનીએ કહ્યું કે ભગવાન રામલલાની જગ્યાને સજાવવા માટે આ ફૂલો બહારથી લાવવામાં આવ્યા છે. જે ફૂલોનો ઉપયોગ રામ મંદિરની સજાવટ, ફૂલોથી ગેટ બનાવવા અને રંગોળીમાં પણ કરવામાં આવશે. તેમજ આ સિવાય ઓર્કિડ, લીલી, ડેનિમ, કાર્નેસન જેવા ફૂલોની પ્રજાતિઓ કોલકાતા, બેંગ્લોરથી આયાત કરવામાં આવી છે. બાલકૃષ્ણ સૈની જણાવ્યું કે આ પહેલા પણ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ તેમણે ફૂલોથી શણગારનું કામ કર્યું હતું.