ભાવનગરના ચિત્રા વિસ્તારમાંથી અઠવાડિયા અગાઉ ગુમ થયેલી સગીરાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ભાવનગરમાં શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ
અઠવાડિયા અગાઉ ગૂમ થઈ હતી થોરડી ગામની સગીરા
સગીરાનો મૃતદેહ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ભાવનગર સગીરાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી સગીરા અઠવાડિયા પહેલા ગુમ થઈ હતી, થોડા દિવસ પહેલા ઘરેથી પ્રસંગ માટે ગયેલી સગીરા ઘરે પરત ન ફરતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી જે બાદ કોઈ પત્તો ન લાગતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.
અઠવાડિયા અગાઉ ગૂમ થઈ હતી થોરડી ગામની સગીરા
જો કે આજે થોરડી ગામના તળાવ પાસેથી શંકાસ્પદ હાલતમાં સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને ઘટના સ્થળની આપસાસના પૂરાવા એકત્રિક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 16 વર્ષીય સગીરાના રહસ્યમય મોતને લઈ પોલીસ અને પરિવારજનો ચોંકી ઉઠ્યા છે. ત્યારે પોલીસે હાલ સગીરાના મોતનું ચોક્કસ કારણ જાણવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
સગીરાનો મૃતદેહ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
મહત્વનું છે કે અઠવાડિયા અગાઉ ગૂમ થયેલ સગીરાનો આજે થોરડી ગામના તળાવ પાસેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. ઘટનાની જાણ થતા જ ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અહીં ઉલ્લેખનિય છે કે સગીરાની હત્યા બાદ તેનો મૃતદેહ તળાવ કિનારે ફેંકી દેવાયો હોય તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર ઘટના મામલે ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે તો પરિવારમાં પણ મોતનો માતમ છવાઈ ગયો છે. હાલ તો મૃતદેહને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.