રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ કૉમ્પ્લેક્સના સાતમાં માળેથી વૃદ્ધાએ કૂદીને કર્યો આપઘાત, સમ્રગ ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
રાજકોટમાં વૃદ્ધાએ કર્યો આપઘાત
કુવાડવા રોડ પર ક્રિસ્ટલ મોલ કૉમ્પ્લેક્સ પરથી ઝંપલાવ્યુ
સાતમાં માળેથી વૃદ્ધાએ કૂદીને કર્યો આપઘાત
રાજકોટમાં માનસિક બીમારીથી કંટાળીને અનેક લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળીને આપઘાત કર્યો છે. રાજકોટના કુવાડવા રોડ પર ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં રહેતા પરિવારના મોભીએ 7મા માળેથી કૂદીને જિવન ટૂંકાવી દીધુ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. એક સુખી પરિવારના વૃદ્ધાના આપઘાતથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. સામાન્ય રીતે કોમ્પ્લેક્ષના તમામ માળ પર સીસીટીવી હોતા નથી. પરંતુ આ કોમ્પલેક્ષના તમામ માળ પર સીસીટીવી લગાવેલા છે. એટલા સુખી પરિવારો આ જગ્યા પર રહે છે. ત્યારે આ વૃદ્ધાના આપઘાતની તમામ તસ્વીર સીસીટીવીમાં જોવા મળે છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 10, 2021
મૃતક જમનાબેન સોલંકીની ઉંમર 65 વર્ષ હોવાનું સામે આવ્યું છે. અને પોલીસની પૂછપરછમાં વધુ એક વાતનો ખુલાસો થયો છે કે, મૃતક લાંબા સમયથી માનસિક રીતે બીમાર હતા. અને આ કારણે જ તેમણે જિવનનો અંત લાવી દીધો છે. જો કે, પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી રહી છે.
સીસીટીવીમાં જોવા મળે છે કે, સવારમાં વૃદ્ધા સીડી ચઢીને છેક 7મા માળ સુધી પહોંચે છે. અને સાતમાં માળની પાળી પર પહોંચીને નીચે જુએ છે. જે બાદ હિંમત કરીને 3 ફૂટની પાળી પર ચડીને કૂદી જાય છે. વૃદ્ધાના કૂદી જવા પછી પરિવારને જાણ થાય છે. અને સમગ્ર સોસાયટીમાંથી લોકો એકઠા થાય છે.