કંકોત્રીમાં વાસ્તુના કેટલાક સીધા અને સરળ નિયમ છે જો તમે તેને અનુસરશો તો ટ્રેન્ડી, ટ્રેડિશનલ અને પોઝીટીવીટીથી ભરપુર આમંત્રણ પત્રિકા તમારા શુભ વિવાહમાં અગત્યનું મેસેન્જર સાબિત થઈ શકે છે. પણ અમુક ભુલો કંકોત્રીમાં થાય તો તે નવ-દંપત્તિના જીવનમાં કેટલીક નેગેટીવીટી લાવી શકે છે.
વાસ્તુ મુજબ કંકોત્રી માટેના સરળ નિયમો
ભૂલો ન કરો
હંમેશા ભૂલ ભરેલી લગ્ન પત્રિકા તમારા વિવાહમાં પણ ભૂલોને સ્થાન આપે છે એટલે સ્વચ્છ, ભૂલ વગરનું લખાણ જરૂરી છે વળી પહેલું આમંત્રણ ભગવાનને આપો કારણ કે, લગ્નની કંકોત્રી એ લગ્ન માટેની બારી સમાન છે.
ડિઝાઈનર શેપ ટાળો
ઘણા લોકો વિવાહની કંકોત્રીને હાર્ટ શેપ, પાન શેપ કે ત્રિકોણ શેપ આપતા હોય છે પણ કંકોત્રી હંમેશા ચોરસ કે લંબચોરસ આકારમાં હોય તો સારૂ. ત્રિકોણ કંકોત્રી બિલકુલ યોગ્ય નથી.
ફોટાવાળી કંકોત્રી
આજકાલ વર-વધૂના ફોટાવાળું વેડિંગ કાર્ડ ટ્રેન્ડમાં છે પરંતુ અસલી ફોટા વાળા વેડિંગ કાર્ટનો મિસયુઝ થઈ શકે છે એટલે બને ત્યાં સુધી અસલી ફોટા કંકોત્રી ઉપર ન મૂકો.
કંકોત્રીનો કલર
કંકોત્રીનો કલર કાળો અને ગ્રે ન હોવો જોઈએ. કારણ કે કાળા રંગની કંકોત્રી અશુભ છે અને તે લગ્નમાં મુસીબતને નોંતરી શકે છે. કંકોત્રી બને ત્યાં સુધી ક્રીમ, સફેદ અને લાલ કલરની જ બનાવો. વાસ્તુની દ્રષ્ટીએ કાળો કલર અશુભ છે.
ડાન્સિંગ ગણેશા
આજકાલ કંકોત્રી ઉપર ડાન્સિંગ ગણેશા મૂકવાનો ટ્રેન્ડ છે ત્યારે વાસ્તુની દ્રષ્ટીએ ડાન્સિંગ ગણેશા લગ્ન ઉપરથી ફોકસ હટાવી શકે છે. એટલે ડાન્સિંગ ગણેશાને બદલે સાદી ગણેશજીની પ્રિન્ટ મુકાવો તો એ વધુ શુભ છે.
સુંગધીત કંકોત્રી
ચંદન, ગુલાબ અને જાસ્મીનથી મહેકતા કાગળવાળી કંકોત્રી નેગેટીવ વાઈબ્રેશનને દૂર કરે છે. એટલે જો ખરેખર તમારે સાદી પરંતુ વાસ્તુ મુજબની શુભ અને કંઈક હટકે કંકોત્રી છપાવી હોય તો સુંગધીત કાગળની કંકોત્રી બેસ્ટ છે.
લાલ રંગ શુભ
લાલ રંગ તમારા વેડિંગ કાર્ડમાં જેટલો છવાયેલો હશે શુભત્વ એટલું જ તમારી તરફ આકર્ષાશે. એટલે લાલ કલરની કંકોત્રી વાસ્તુની દ્રષ્ટીએ અતિશુભ માનવામાં આવે છે.
રાધા-ક્રિશ્નાનું ચિત્ર ન દોરાવો
કંકોત્રી ઉપર રાધા-ક્રિશ્નનું ચિત્ર વિરહની વેદના આપે છે. એટલે વિરહ પણ એક પ્રકારની નેગેટીવીટ જ છે જ્યારે વિવાહ જેવો શુભ અવતર હોય અને તેનું આમંત્રણ હોય તો તેમાં રાધા ક્રિશ્નની તસવીર ટાળવી જોઈએ.