સરકારી કર્મચારીના મોત બાદ મળતા પેન્શનની શરતોને હવે ખતમ કરી નાખવામાં આવી છે.
સરકારી કર્મચારીઓના પેન્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર
કર્મચારીના પરિવારને પેન્શનના 50 ટકા પૈસા આપવામાં આવશે
કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું
સરકારી કર્મચારીઓ માટે સારી ખબર આવી છે. સરકારે હાલમાં જ સરકારી કર્મચારીઓના પેન્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યા છે. જે હેઠળ હવે કર્મચારીના મોત બાદ તેમના પરિવાર અને તેમના પર નિર્ભર લોકોને મદદ મળશે. તે હેઠળ તેમને પેન્શનના 50 ટકા પૈસા આપવામાં આવશે. આવો જાણીએ આ મહત્વપૂર્ણ ફેરફાર વિશે.
આશ્રિતોને મળશે લાભ
નવા નિયમો અનુસાર સરકારી કર્મચારી પર આશ્રિત લોકો માટે પેન્શન માટે 7 વર્ષની સર્વિસની શરતના નિયમને ખતમ કરી નાખ્યો છે. હવે જો 7 વર્ષની સર્વિસ પુરી થયા પહેલા પણ કોઈ કર્મચારીની મૃત્યુ થઈ જાય તો કર્મચારીના પરિવારને પેન્શનના 50 ટકા પૈસા આપવામાં આવશે. એટલે કે હવે સરકારી કર્મચારીના મોત બાદ મળતા પેન્શનની શરતો ખતમ કરી દેવામાં આવી છે. આ પહેલા ઘણા મામલાઓમાં આ શરતોના કારણે પરિવારના લોકોને પેન્શનનો લાભ નથી મળી શક્યો.
સરકારે વધાર્યુ મોંઘવારુ ભથ્થું
લાંબી રાહ બાદ કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહતને 17 ટકાની હાલના દરથી વધારીને 28 ટકા કરી દીધો છે. આ નવા દર 1 જુલાઈ 2021થી લાગુ થશે.
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ
નાણાકીય મંત્રાલયે એપ્રિલ 2020માં કોરોના સંકટના કારણે જુલાઈ 2021 લુધી 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 61 લાખ પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં વૃદ્ધિ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો. તેમને DAનો લાભ 30 જૂન 2021 સુધી નથી મળી રહ્યો. હવે લગભગ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને સરકારના આ નિર્ણયથી લાભ થશે. તેનાથી સરકારનો લગભગ 34,401 કરોડ રૂપિયા ખર્ચ વધી જશે.