માર્ચ, ફેબ્રુઆરીમાં જ કેમ ચીરીપાલ ગૃપના સાહસોમાં આગ લાગે છે? કે લગાવવામાં આવે છે? આ આગ કંપનીઓ દ્વારા જ લગાવવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે આ પહેલા પણ એક બે વાર નહીં પરંતુ વારંવાર આવી ઘટનાઓ ઘટી ચુકી છે ત્યારે હવે આ મામલે ચીરીપાલ ગૃપ અને ચીરીપાલ ગૃપની આ લાલિયાવાડીને કેમ તંત્ર ચલવી લે છે. તે અંગે પણ ચર્ચાઓ ઉઠી રહી છે. આવો જાણીએ કે કેમ ચીરીપાલ ગૃપ દ્વારા ફેબ્રુઆરીમાં પોતાના જ એકમોમાં આગ લગાવવામાં આવે છે? પોલીસની ઢીલી નીતિ કે પછી તંત્રની જ રહેમનજર હેઠળ આ કાંડ થાય છે.
અમદાવાદની નંદન ડેનિમ કંપનીમાં આગનો મામલો
કંપનીના માલિક ચિરિપાલ પિતા-પુત્ર ફરાર
MD જ્યોતિ ચિરિપાલ અને CEO દિપક ચિરિપાલ ફરાર
બંને પિતા-પુત્ર દુબઇ ભાગી ગયા
અમદાવાદની નંદન ડેનિમ કંપનીમાં આગ લાગતા 7 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ચિરીપાલ ગ્રુપના માલિક સામે ફરિયાદ થઈ છે. ફરિયાદ થયા બાદ હજુ સુધી કંપનીના માલિક ચિરિપાલ પિતા-પુત્ર ફરાર છે.
ઘટનામાં 7 લોકોના મોત બાદ 6 લોકો સામે ફરિયાદ થઈ હતી
હજુ સુધી કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર જ્યોતિ ચિરિપાલ અને CEO દિપક ચિરિપાલ ફરાર છે. બન્ને લોકો દુબઈમાં ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહીથી બચવા બન્ને દુબઈ ગયા હોવાની શંકાઓ સેવાઈ રહી છે. ઘટનામાં 7 લોકોના મોત બાદ 6 લોકો સામે ફરિયાદ થઈ હતી.
પોલીસની ઢીલી નીતિને કારણે ફરાર
પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી ન કરવામાં આવતા કંપનીના MD અને CEO દેશ છોડીને ફરાર થયા.
સળગતા સવાલ
પોલીસ કેમ આરોપીઓને પકડવામાં નિષ્ફળ સાબિત થાય છે?
ચિરીપાલ ગ્રુપના માલિકો સામે કેમ કાર્યવાહી નહી?
ફરાર આરોપીને પોલીસ કયારે પકડી પાડશે?
અત્યાર સુધી પોલીસે કેમ કાર્યવાહી ન કરી?
કંપનીમાં આગ લાગ્યા બાદ પોલીસે કેમ કાર્યવાહી કરી ન હતી?
7 લોકોના મોત થયા બાદ પણ પોલીસે કેમ ઢીલી નીતિ અપનાવે છે?
પોલીસને કંપનીના માલિકો સામે કાર્યવાહી કરવામાં રસ નથી?
શું કોઈ રાજકીય દબાણના કારણે આરોપીઓની ધરપકડ થતી નથી?