તાજેતરમાં જ 182 PSIની બદલી કરાયા બાદ વધુ એકવાર બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.
ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ઘાણવો
રાજ્યના 63 PSIની આંતરિક બદલી કરાઈ
અગાઉ પોલીસ વિભાગમાં થઇ ચૂકી છે બદલીઓ
આજે(24 સપ્ટેમ્બર 2022)ના રોજ રાજ્યના 63 PSIની આંતરિક બદલી કરી નવી ફરજ સોંપવામાં આવી છે. 63 બિન હથિયારી PSIની બદલીઓના ઓર્ડર નિકળ્યા છે. જેમાં અમદાવાદના સિદ્ધરાજસિંહ ગોહિલ અને અમરેલીના અજયસિંહ સરવૈયા જામનગર મુકાયા છે, તો અમદાવાદના વિપુલ શિંગરખીયાને દેવભૂમી દ્વારકા ખાતે ફરજ સોંપવામાં આવી છે. જ્યારે જામનગર ફર્લો સ્કોર્ડના અશ્વિન ગરચર રાજકોટ મુકાયા છે. આમ 63 PSI ની બદલીનો ગંજીફો ચાંપવામાં આવ્યો છે.