ગઢડા મંદિર ટ્રસ્ટ બોર્ડની ચૂંટણીનું આજે મતદાન યોજાઇ રહ્યું છે. ગઢડામાં 27 બુથ પર મતદાનનુ આયોજન કરવામાં આવ્યુ છે. 20 હજાર 668 મતદારો 6 બેઠકો માટે મતદાન કરશે. આ ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્યપક્ષના 6-6 ઉમેદવારો મેદાને છે. જ્યારે ચૂંટણી પહેલા એક બેઠક પર આચાર્યપક્ષ બિનહરીફ વિજેતા થયા છે.
પ્રથમ વખત ગઢડામાં તમામ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. આ પહેલા જૂનાગઢ, અમરેલી અને બોટાદમાં બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા. આ મંદિરમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થશે. જ્યારે મતદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને નિર્ભયતાથી મતદારો પોતાના મતનો ઉપયોગ કરી શકે તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગઢડા મંદિર ટ્રસ્ટ બોર્ડની ચૂંટણીનું આજે મતદાન યોજયુ છે. ચૂંટણીને લઇને ગઢડામાં 27 બુથ પર શાંતિપૂર્ણ રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં અંદાજે 20 હજાર 668 મતદારો 6 બેઠકો માટે મતદાન કરશે. આ ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્યપક્ષના 6-6 ઉમેદવારો આમને-સામને છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી અગાઉ એક બેઠક પર આચાર્યપક્ષ બિનહરીફ વિજેતા થયા હતા. જો કે આ વખતે પ્રથમ વાર ગઢડામાં તમામ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. આ પહેલા જૂનાગઢ, અમરેલી અને બોટાદમાં બૂથ તૈયાર કરવામાં આવતા હતા. ગઢડા મંદિર માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવતી કાલે જાહેર થશે.