કાશ્મીરમાં નાગરિકોના લક્ષિત હત્યાઓને મુદ્દે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)ના 5500થી વધારે જવાનો (55 કંપની)ને ઘાટીમાં મોકલવામાં આવ્યા છે.
55 કંપનીને ઘાટીમાં મોકલવામાં આવી
સુરક્ષા વધારવા જમીન પર દળોની તૈનાતીની રણનીતિ તૈયાર
સુરક્ષા દળોએ આ વર્ષે જમ્મુ કાશ્મીર માં કુલ 112 આતંકવાદીઓને ઠાર માર્યા અને 135 ની ધરપકડ કરી
55 કંપનીને ઘાટીમાં મોકલવામાં આવી
કાશ્મીરમાં સામાન્ય નાગરિકોના લક્ષિત હત્યાઓની આતંકી ઘટનાઓમાં વૃદ્ધિના ચાલતા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)ના 5500થી વધારે જવાનો (55 કંપની)ને ઘાટીમાં મોકલવામાં આવ્યા છે.
સુરક્ષા વધારવા જમીન પર દળોની તૈનાતીની રણનીતિ તૈયાર
અધિકારીઓએ મંગળવારે કહ્યું છે કે સુરક્ષા વધારવા અને જમીન પર દળોની તૈનાતીની રણનીતિ હેઠળ સીએપીએફની નવી કંપનીઓ ઘાટીમાં મોકવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગત મહિના નિર્દેશ આપ્યા હતા કે સામાન્ય નાગરિકોની ટાર્ગેટ હત્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય દળોના લગભગ 55 નવી કંપનીઓ કાશ્મીરની ઘાટીમાં તૈનાત કરવા જોઈએ. તેમણે કહ્યું કે આ કવાયદની અંતિમ 5 કંપની આગલા અઠવાડિયે તૈનાત થઈ જશે. જેમાંથી 25 કંપનીઓ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની છે. અને બાકી બીએસએફ છે. સીએપીએફની એક કંપનીમાં લગભગ 100 કર્મી હોય છે.
સુરક્ષા દળોએ આ વર્ષે જમ્મુ કાશ્મીર માં કુલ 112 આતંકવાદીઓને ઠાર માર્યા અને 135 ની ધરપકડ કરી
સીઆરપીએફને જમ્મુ કાશ્મીરમાં કાનૂન અને વ્યવસ્થા તથા આતંકવાદ રોધી દાયિત્વ માટે વ્યાપક રુપથી તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં લગભગ 60 બટાલિયન (પ્રત્યેકમાં લગભગ 1000 કર્મી) કાશ્મીરમાં ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગર અને ઘાટીના અન્ય ભાગમાં નિયમિત તૈનાતીમાં છે.
જમ્મુ કાશ્મીરમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને ગોળીબારી કરવામાં આવી હતી. જેમાં ઓછામાં ઓછા 14 લોકોના જીવ ગયા છે. માર્યા ગયેલા લોકોમાં 5 બિહારના મજૂરો હતો. જ્યારે 2 શિક્ષકો સહિત 3 લોકો કાશ્મીરના હિન્દુ શીખ સમુદાયથી હતા.
અધિકારીઓને કહ્યું કે સંયુક્ત અભિયાન દરમિયાન સીઆરપીએફ અને અન્ય સુરક્ષા દળોએ આ વર્ષે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 112 આતંકવાદીઓને ઠાર માર્યા અને 135 અન્યની ધરપકડ કરી.